Not Set/ પાસપોર્ટ વિવાદ : ૧૫ દિવસ બાદ મુસ્લિમ – હિંદુ દંપતીને જાહેર કરાયો પાસપોર્ટ

લખનઉ, ઉત્તરપ્રદેશના લખનઉમાં મોહમ્મદ અનસ સિદ્દીકી અને તેઓની પત્ની તન્વી શેઠના પાસપોર્ટ વિવાદનો ૧૫ દિવસ બાદ અંત આવ્યો છે. બુધવારે આ મુસ્લિમ – હિંદુ દંપતીને પાસપોર્ટ મામલે કિલન ચીટ આપવામાં આવી છે અને ક્ષેત્રિય કાર્યાલય દ્વારા પાસપોર્ટ જાહેર કરાયો છે. સ્થાનિક પાસપોર્ટ અધિકારી પિયુષ વર્માના જણાવ્યા અનુસાર, “તન્વી શેઠ અને અનસ સિદ્દીકીને પાસપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલય દ્વારા […]

Top Stories India Trending
index 6 696x405 1 પાસપોર્ટ વિવાદ : ૧૫ દિવસ બાદ મુસ્લિમ – હિંદુ દંપતીને જાહેર કરાયો પાસપોર્ટ

લખનઉ,

ઉત્તરપ્રદેશના લખનઉમાં મોહમ્મદ અનસ સિદ્દીકી અને તેઓની પત્ની તન્વી શેઠના પાસપોર્ટ વિવાદનો ૧૫ દિવસ બાદ અંત આવ્યો છે. બુધવારે આ મુસ્લિમ – હિંદુ દંપતીને પાસપોર્ટ મામલે કિલન ચીટ આપવામાં આવી છે અને ક્ષેત્રિય કાર્યાલય દ્વારા પાસપોર્ટ જાહેર કરાયો છે.

સ્થાનિક પાસપોર્ટ અધિકારી પિયુષ વર્માના જણાવ્યા અનુસાર, “તન્વી શેઠ અને અનસ સિદ્દીકીને પાસપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલય દ્વારા જૂન, ૨૦૧૮માં નિયમો અનુસાર, પોલીસ રિપોર્ટમાં ૬ મહત્વના પોઈન્ટ પર કોઈ ગુનાનો કેસ નથી કે તેઓની નાગરિકતા પર વિવાદ નથી, ત્યારે તેઓનો પાસપોર્ટ રોકી શકાતો નથી. આ આધાર પર જ આ દંપતીને પાસપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

આ પહેલા પાસપોર્ટ વિવાદની તપાસ કરી રહેલી લોકલ ઇન્ટેલિજન્સ ટીમે (LIU) ખુલાસો કર્યો હતો કે,  તન્વી શેઠ પાસપોર્ટ માટે લખનઉના જે સરનામાં માટે દસ્તાવેજ આપ્યા હતા, તે છેલ્લા એક વર્ષથી વધુ સમયથી રહ્યા નથી.

ત્યારે હવે આ મામલે આ મુસ્લિમ – હિંદુ દંપતીનો પાસપોર્ટ રદ્દ કરવામાં આવ્યો છે તેમજ પાસપોર્ટના રિન્યુઅલ સમયે ધાર્મિક આધાર પર વિવાદ ઉભો થવાના કારણે પાંચ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. તેમજ આ મામલે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને પણ સોશિયલ મીડિયામાં ટ્રોલ કરાયા હતા.

જો કે પાસપોર્ટ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, “અરજી કરનાર નિવેદક નોઇડાની રહેવાસી હતી, જેથી તેઓએ ગાઝિયાબાદમાં એપ્લાઇ કરવું જરૂરી હતું. પરંતુ આ તથ્યને છુપાવવામાં આવ્યું અને લખનઉની જાણકારી આપીને પાસપોર્ટ માટે આવેદન આપ્યું હતું જે ખોટું છે. તેઓએ ખોટી જાણકારી આપી હતી”.

શું હતો આ મામલો ?

મોહમ્મદ અનસ સિદ્દીકી અને તેઓની પત્ની તન્વી શેઠે ૨૦૦૭માં લગ્ન કર્યા હતા અને તેઓએ લખનઉમાં પાસપોર્ટ માટે આવેદન કર્યું હતું.

હકીકતમાં તન્વી અને અનસ નામની હિંદુ-મુસ્લિમ દંપતીને પાસપોર્ટ રિન્યુઅલ મામલે પાસપોર્ટ ઓફિસમાં એક ઓફિસરે તેઓને ધર્મના નામ પર અપમાનિત કર્યા હોવાનો મામલો સામે આવ્યો હતો. આ ઓફિસર દ્વારા આ દંપતીની અરજી ફગાવવામાં આવી અને તેને હોલ્ડ પર રાખવામાં આવ્યો હતો.

ત્યારબાદ આ મામલે દંપતી દ્વારા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને હાકલ કરવામાં આવી હતી અને દંપતીને પાસપોર્ટ આપવામાં આવ્યો છે, જયારે આ પાસપોર્ટ અધિકારીની બદલી પણ કરવામાં આવી હતી.