અભિનેત્રી પ્રિયંકા ચોપડા આજકાલ ચર્ચામાં છવાયેલી જોવા મળી રહી છે, એવા અહેવાલ છે કે બ્રાન્ડ વેલ્યુના મામલે અભિનેત્રીએ બોલીવુડની અનેક હસ્તીઓને પાછળ છોડી છે. આ માહિતી તાજેતરના અહેવાલમાં બહાર આવી છે, જેમાં સેલિબ્રિટીની બ્રાન્ડ વેલ્યૂ ઘણાં પરિમાણોના આધારે અંદાજવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, પ્રિયંકાની બ્રાંડ વેલ્યુ 265 કરોડ રૂપિયા છે, જ્યારે અક્ષય કુમાર જેવા બોલિવૂડ સ્ટાર્સની બ્રાન્ડ વેલ્યૂ 260 કરોડ છે અને સલમાન ખાનની બ્રાન્ડ વેલ્યુ 252 કરોડ રૂપિયા છે.
ઓનલાઈન સેન્ટિમેન્ટ એનાલિસિસ કંપની ચેકબ્રાન્ડ (Checkbrand) અનુસાર, ઓગસ્ટથી ઓક્ટોબર સુધી ત્રણ મહિનામાં અભિનેત્રી પ્રિયંકા ચોપડાની બ્રાન્ડ વેલ્યૂ સૌથી વધુ 265 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

આ અહેવાલમાં સૌથી વધુ ચોંકાવનારું નામ શાહરૂખ ખાન હતું, જેની બ્રાન્ડ વેલ્યુ આ બધા સ્ટાર્સથી નીચે અંદાજવામાં આવે છે, જેની કિંમત 209 કરોડ રૂપિયા છે. તે જ સમયે, તાજેતરના ડ્રગ્સના મામલાને કારણે વિવાદોમાં રહેલી અભિનેત્રી દીપિકા પાદુકોણની બ્રાન્ડ વેલ્યુ શાહરૂખ ખાન કરતા 211 કરોડથી વધુ હોવાનો અંદાજ છે. આ રિપોર્ટ એન્ગેજમેન્ટ અને ફોલોઅર્સને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે અને ટ્વિટર, ગુગલ સર્ચ અને યુટ્યુબ પર ડેટાને પણ આધાર બનાવવામાં આવ્યો છે.
![]()
આપને જણાવી દઈએ કે પ્રિયંકાએ તાજેતરમાં યુએસમાં પોતાનું પુસ્તક ‘અનફીનીશ્ડ’ બહાર પાડ્યું હતું, જેને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. અહેવાલ છે કે પ્રિયંકાનું આ પુસ્તક 2021 ના ફેબ્રુઆરી મહિનામાં ભારતમાં બહાર પાડવામાં આવશે.

પ્રિયંકા ચોપરાના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે ફિલ્મ ‘વ્હાઇટ ટાઇગર’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે રાજકુમાર રાવ પણ હશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેને લોકોએ ખૂબ પસંદ કર્યું છે. આ ફિલ્મ જાન્યુઆરી 2021 માં રિલીઝ થશે.
આ પણ વાંચો :જાણો, કોણે લગાવ્યો અમિતાભ બચ્ચન પર કવિતા ચોરીનો આરોપ
આ પણ વાંચો :ગૌહર ખાન અને ઝૈદ દરબારની પ્રિ-વેડિંગ સેરેમનીના બેસ્ટ મોમેન્ટ, જુઓ
આ પણ વાંચો :‘નયન’ ગીતને પ્રમોટ કરવા બિગ-બૉસ હાઉસ પહોંચી આ સિંગર
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
