જમ્મુ-કાશ્મીરમાં વર્ષ 2019 માં 14 ફેબ્રુઆરીએ થયેલા આતંકી હુમલાએ દેશને હચમચાવી નાખ્યો હતો. આ આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા છે. સુરક્ષા દળોને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા આ વિસ્ફોટ એટલા જોરદાર હતા કે, સેનાનું વાહન ઉડી ગયું હતું.
ઘણા સૈનિકો સ્થળ પર જ શહીદ થયા હતા. વિસ્ફોટ પછી, ધુમાડો દુર થયો ત્યારે જ્યાં સુધી નજરો જાય હતું માત્ર શહીદોનું રક્ત અને ચીથરે હાલ લાશો… ચારે તરફ હતું માત્ર કાટમાળ અને શહીદોની લાશ જ લાશ…
તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરુ કરવામાં આવી હતી. આતંકીઓએ આત્મઘાતી બોમ્બ ધડાકા પૂર્વે 78 સીઆરપીએફ કાફલોના કાફલા પર ફાયરિંગ શરૂ કરી હતી.
ગોળીબારમાં કેટલાક સૈનિકો પણ ઘાયલ થયા હતા. આ પછી ફાયરિંગ કરનારા આતંકીઓ નાસી છૂટયા હતા. હુમલો બંધ થયાના તરત જ બચાવ કામગીરી ફરી શરૂ કરવામાં આવી.
ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં મોકલવાની પ્રક્રિયા શરૂ થઈ. તે જ સમયે, સેનાએ પણ આતંકવાદીઓની સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું હતું. આ આત્મઘાતી હુમલામાં 40 સૈનિકો માર્યા ગયા હતા, જ્યારે 40 ઘાયલ થયા હતા. જમ્મુ-કાશ્મીર સહિતના દેશમાં આ હુમલાની જાણ થતાં જ આખા દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. લોકોમાં ગુસ્સો હતો, આતંકવાદીઓ અને દુશ્મન જેઓ આ હુમલાની કાવતરું ઘડી રહ્યા હતા તેમને યોગ્ય જવાબ આપવા માટે દરેક માનવીની જીભ પર એક જ શબ્દ હતો- કાવતરાખોરને ઠેકાણે પાડો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.