નિખિલ અને અંકિતાનાં લગ્ન તાજેતરમાં થયાં હતાં
પારિવારિક તકરારથી પરેશાન દંપતીએ આત્મહત્યા કરી લીધી હતી
અંકિતાએ બુધવારે રાત્રે અને આજે નિખિલે આત્મહત્યા કરી હતી
ડોક્ટર્સ ડે પર, જ્યાં આજે લોકો તેમના પરિચિત ડોક્ટરોને અભિનંદન આપી રહ્યાં છે, તેમને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી રહ્યા છે તે જ સમયે, મહારાષ્ટ્રના પૂના શહેરમાં, એક ડોક્ટર દંપતીએ આત્મહત્યા કરી છે.
આ હ્રદયસ્પર્શી ઘટના પુનાના વાણવાડી વિસ્તારની છે. મળતી માહિતી મુજબ આ ડોક્ટર યુગલે કૌટુંબિક વિવાદના કારણે ગળે ફાસો લગાવીને આત્મહત્યા કરી લીધી છે. મૃતક દંપતીનું નામ ડો.નિખિલ શેંડકર અને ડો.અંકિતા શેંડકર હોવાનું જણવા મળ્યું છે.
પત્નીની આત્મહત્યા બાદ પતિએ પણ મોત ને કર્યું વાહલું
પુણે પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ, 26 વર્ષીય અંકિતાએ બુધવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ આત્મહત્યા કરી હતી, તેને સસૂન હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહોતો.
આ પછી ગુરુવારે સવારે 7 વાગ્યે નિખિલે પણ આપઘાત કરી લીધો હતો. આ ઘટના વિશેની માહિતી આજે ડોક્ટર ડે પર પ્રકાશમાં આવી છે. હાલમાં બંનેએ કેમ આ પગલું ભર્યું તે અંગે કોઈની પાસે કોઈ નક્કર માહિતી નથી
ઉત્તરપ્રદેશ / ઓસ્ટ્રેલિયામાં વાગ્યો યોગી મોડલનો ડંકો, ડેલ્ટા વેરિયન્ટને રોકવા માટેની કામગીરીની કરાઈ પ્રશંસા
National Doctors Day / PM મોદી આજે તબીબી જગત સાથે સંકળાયેલા તમામ લોકોને સંબોધન કરશે