લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીએ ગુરુવારે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ દરમિયાન કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી આ પ્રેસ કોન્ફરન્સમાં હાજર હતા. પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે દેશનો દરેક નાગરિક ચૂંટણીમાં ભાગ લેવા ઇચ્છુક છે. કોઈપણ લોકશાહી માટે નિષ્પક્ષ ચૂંટણી જરૂરી છે. તમામ રાજકીય પક્ષો માટે લેવલ પ્લેઇંગ ફિલ્ડ હોવું જોઈએ. તેમણે કહ્યું કે ચૂંટણી બોન્ડને લઈને જે માહિતી કે તથ્યો સામે આવ્યા છે તે ચિંતાજનક અને શરમજનક છે. ભાજપને 56 ટકા દાન મળ્યું છે જ્યારે કોંગ્રેસને માત્ર 11 ટકા દાન મળ્યું છે. ભારતની લોકશાહી વ્યવસ્થાના 70 વર્ષમાં આવું ક્યારેય બન્યું નથી. સુપ્રીમ કોર્ટ આ મામલે તપાસ કરી રહી છે, તેથી મને આશા છે કે સત્ય જલ્દી બહાર આવશે.
સોનિયા ગાંધીએ શું કહ્યું?
આ અંગે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ આ બાબતે કહ્યું કે અમે ચૂંટણી પ્રચારને અસરકારક બનાવવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ. ઈલેક્ટોરલ બોન્ડના કારણે ભાજપને મોટો ફાયદો થયો છે. અમે બધા માનીએ છીએ કે આ ગેરબંધારણીય અને અલોકતાંત્રિક છે. કોંગ્રેસ પાર્ટીના કોષાધ્યક્ષ અજય માકને આ અંગે જણાવ્યું કે અમને વર્ષ 1994-1995 માટે એસેસમેન્ટ નોટિસ મોકલવામાં આવી છે. આ કેવા પ્રકારની લોકશાહી છે? અમને 30-40 વર્ષ જૂની વસ્તુ માટે નોટિસ મોકલવામાં આવી રહી છે. 0.7 ટકા માટે, અમારા પર 126 ટકાનો દંડ લાદવામાં આવ્યો છે. અમારા પર 14 લાખ 40 હજાર રૂપિયા માટે 210 કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. અમારું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું છે. ચૂંટણી પ્રચાર, પેમ્ફલેટ વગેરે તમામ ચૂંટણી ખર્ચ માટેના પૈસા નથી. આ લોકશાહીનું ઉલ્લંઘન છે. આવકવેરા વિભાગ દ્વારા અમને 210 કરોડ રૂપિયાની નોટિસ મોકલવામાં આવી છે.
રાહુલ ગાંધીએ શું કહ્યું?
પ્રેસને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં લોકશાહી બચી નથી. અમારા બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે. અમે ચૂંટણીમાં ખર્ચ કરી શકતા નથી અને ચૂંટણીમાં પ્રચાર કરી શકતા નથી. ખાસ કરીને આ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે ચૂંટણીને માત્ર 2 મહિના બાકી છે. અમારું આખું બેંક એકાઉન્ટ અને પૈસા માત્ર 14 લાખ રૂપિયામાં ફ્રીઝ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે અમે 20 ટકા જનતાનું પ્રતિનિધિત્વ કરીએ છીએ. પરંતુ અમે 2 રૂપિયા પણ ખર્ચી શકતા નથી. આ અંગે કોઈ કોર્ટ કંઈ કરી રહી નથી, ન તો ચૂંટણી પંચ કે મીડિયા આ બાબતે કંઈ કહી રહ્યું છે. આમ ચૂપ રહેશો તો તમને બધાને લુંટવામાં આવશે.
આ પણ વાંચો:જયપુરમાં ભયંકર આગ દુર્ઘટનામાં 5 લોકોના મોત નિપજયા, CM ભજનલાલ શર્માએ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો
આ પણ વાંચો:આ વખતે સોનિયા, રાહુલ અને પ્રિયંકા પોતાની પાર્ટી કોંગ્રેસને વોટ નહીં આપી શકશે, જાણો કારણ
આ પણ વાંચો:પતંજલિએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી અને ગેરમાર્ગે દોરનારી જાહેરાતના કેસમાં બિનશરતી માફી માંગી
આ પણ વાંચો:પાડોશીઓ બારી ખોલીને સંભોગ કરે છે, તેઓને ના પાડવા છતા સાંભળતા નથી, મહિલાએ પોલીસમાં કરી ફરિયાદ