ચૂંટણી પંચ દ્વારા આજે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અહીં મીટીંગના મુખ્ય મુદ્દાઓ મીડિયા સમક્ષ સમજાવવામાં આવ્યા હતા.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે, કોંગ્રેસ વર્કિંગ કમિટીએ દેશમાં જાતિ ગણતરીના વિચારને સર્વસંમતિથી સમર્થન આપ્યું છે. આ એક પ્રગતિશીલ પગલું છે. આપણા મુખ્યમંત્રીઓ (છત્તીસગઢ, કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાન) પણ આ અંગે વિચાર કરી રહ્યા છે અને પગલાં લઈ રહ્યા છે. આ સિવાય રાહુલ ગાંધીએ ભાજપ અને પીએમ મોદી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે અમે પીએમ નરેન્દ્ર મોદીના કાર્યોનો એક્સ-રે કાઢીશું.
બેઠકમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો
મળતી માહિતી મુજબ દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક લગભગ 4 કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં જાતિ ગણતરી કરાવશે. આ મુદ્દે બેઠકમાં ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. તેની નકલ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.
I.N.D.I.A ગઠબંધનના તમામ પક્ષો સહમત!
બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, I.N.D.I.A ગઠબંધનના લગભગ તમામ પક્ષો સહમત થયા છે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે કેટલાક પક્ષોએ સમસ્યાઓ વ્યક્ત કરી છે. આ અંગે ચર્ચા થઈ રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આ વસ્તીગણતરી ધર્મ-જાતિ પર આધારિત નથી, પરંતુ ગરીબીના આધારે છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપ અને પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું.
આ પણ વાંચો: Nobel Prize/ ક્લાઉડિયા ગોલ્ડિનને અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મળ્યો, જાણો તેમની કારકિર્દી
આ પણ વાંચો: Israel Hamas War/ હમાસના હુમલામાં કેટલા ભારતીયો ઈઝરાયલમાં ફસાયા?
આ પણ વાંચો: Explained/ ચાર દેશ વચ્ચે જંગ-14 વચ્ચે તનાવ, શું ત્રીજું વિશ્વયુદ્ધ છે નજીક?