ICC ODI વર્લ્ડ કપ 2023ની 12મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચ માટે પાકિસ્તાનની ટીમ અમદાવાદ પહોંચી ગઈ છે અને પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાનદાર મેચની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે, ચાહકોનો મૂડ ખરાબ થઈ શકે છે કારણ કે આ વખતે જ્યારે વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન આમને-સામને થશે ત્યારે વરસાદ મેચમાં વિલન બની શકે છે. ભારતીય હવામાન વિભાગે 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચેની બહુપ્રતિક્ષિત મેચ દરમિયાન હળવા વરસાદની આગાહી કરી છે.
વિશ્વ કપની આ રસપ્રદ મેચ શનિવારે મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે જ્યારે નવ દિવસીય નવરાત્રી ઉત્સવ 15 ઓક્ટોબરથી શરૂ થશે. ભારતીય હવામાન વિભાગ દ્વારા શેર કરવામાં આવેલી નવીનતમ હવામાન માહિતી અનુસાર, 14 અને 15 ઓક્ટોબરે ઉત્તર ગુજરાત અને અમદાવાદના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.
અમદાવાદના હવામાન કેન્દ્રના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, “આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં હવામાન સૂકું રહેવાની ધારણા છે પરંતુ અમદાવાદ જિલ્લામાં 14 ઓક્ટોબરે છૂટોછવાયો વરસાદ પડી શકે છે.” તેમણે કહ્યું, “આકાશ વાદળછાયું રહેશે. આગામી દિવસે અમદાવાદ અને બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલી સહિત અન્ય ઉત્તરીય જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.”
ભારતીય ટીમે પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત જીત સાથે કરી છે. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું જ્યારે બીજી મેચમાં ભારતીય ટીમે અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. બીજી તરફ પાકિસ્તાની ટીમે તેની પ્રથમ મેચમાં નેધરલેન્ડ સામે જીત મેળવી હતી. જ્યારે બીજી મેચમાં બાબર એન્ડ કંપનીએ શ્રીલંકાને હરાવ્યું હતું.
આ પણ વાંચો: Operation Ajay/ ઈઝરાયલ-હમાસના ભયંકર યુદ્ધ વચ્ચે 212 ભારતીયોની વતન વાપસી
આ પણ વાંચો: Navratri 2023/ નવરાત્રીની શરૂઆત પહેલા કરો આ ખૂબ જ મહત્વપૂર્ણ કામ, હવન-પૂજા કરવામાં મુશ્કેલી નહીં પડે
આ પણ વાંચો: Operation Ajay/ ઓપરેશન અજય હેઠળ ભારતીયો ઇઝરાયેલથી સ્વદેશ પરત આવવા તૈયાર