ગુજરાતમાં અવિરત વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે. ભારે વરસાદને કારણે ગુજરાતના નીચાણવાળા વિસ્તારો વધુ પ્રભાવિત થયા છે. વલસાડમાં અવિરત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઔરંગા નદીનું જળસ્તર પણ ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયું છે.
વલસાડ જિલ્લા કલેકટરે માહિતી આપી હતી
માહિતી આપતાં, વલસાડના જિલ્લા કલેક્ટર, શિપ્રા આગ્રાએ જણાવ્યું હતું કે, અમારે પછીથી લોકોને બચાવવા ન પડે તે માટે અમે સાવચેતી રૂપે લગભગ 550 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. NDRFની બે ટીમો જિલ્લામાં તૈનાત છે. 550-600 લોકો શેલ્ટર હોમ અથવા તેમના પરિચિતોના ઘરોમાં રોકાયા છે. જિલ્લામાં 50 જેટલા રસ્તાઓ બંધ છે.
વલસાડમાં મેઘરાજાનો કહેર હજુ પણ યથાવત છે. આજે શુક્રવારે પણ મેઘરાજાની ધમાકેદાર બેંટીંગ જોવા મળી હતી. વરસાદને પગલે બરુડીયા વાડ, કાશ્મિરા નગરમાં પાણી ભરાયા હતા. વરસાદને પગલે અઠવાડીયામાં બીજી વખત ઓરંગા નદીમાં ઘોડાપુર આવ્યું હતું. હજુ પણ વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
- મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
- અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
- વલસાડમાં ભારે વરસાદની આગાહી
વલસાડમાં સતત વરસતા વરસાદ તેમજ આગાહીને પગલે જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે પણ બંધ રહેશે. આગાહીને પગલે તંત્રએ શૈક્ષણીક સંસ્થા બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આંગણવાડી, પ્રાથમિક તેમજ ઉચ્ચતર માધ્યમિકમાં આવતી કાલે શિક્ષણ કાર્ય બંધ રાખવા જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો છે.
Rajkot/ 50 હજારમાં કાઇ ના થાય, ઉપલા અધિકારીઓ સુધી વહીવટ કરવો પડે છે : ક્રાઇમ બ્રાન્ચના જમાદારનો ઓડિયો વાયરલ
Photos/ ગોટાબાયા જ નહિ, આ દેશના વડા પણ તેમના દેશમાંથી ભાગી ગયા છે, આજ સુધી પાછા ફર્યા નથી.