રાજકોટનાં શહેર વિસ્તારમાં બસ સ્ટેશન પોલીસ ચોકીમાં ફાયરિંગ થયું હતું. PSI દ્વારા રિવોલ્વર સાફ કરતી વખતે મિસ-ફાયરિંગ થયું હતું. જેમાં રસ્તા પરથી પસાર થતાં રાહદારીને ગોળી વાગી જતા, નિર્દોશ રાહદારીનું નું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. શહેરનાં ભરચક બસ સ્ટેન્ડ વિસ્તારમાં ફાયરીંગ અને મોતની ઘટનાનાં પગલે લોકોનાં ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ નજીકમાં આવેલ A ડિવિઝન પોલીસ સ્ટાફ સહિત અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને PSIની રિવોલ્વરનો કબજો મેળવી તપાસ હાથ ધરી છે. જો કે હાલ પીએસઆઇની પૂછપરછ ચાલી રહી છે. પૂછપરછ બાદ વધુ હકીકત બહાર આવે તેવી શક્યતા દેખાઇ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.