Mumbai/ મુંબઇના વિવાદસ્પદ એન્કાઉન્ટર સ્પેશલિસ્ટ અને રિર્ટાયડ પોલીસકર્મી પ્રદીપ શર્માને મોટો ઝટકો 

વર્ષ 2006 માં મુંબઇમાં ગેંગસ્ટર છોટા રાજનના સહયોગી રામનારાયણ ગુપ્તાની નકલી એન્કાઉન્ટરના મામલામાં મુંબઇ હાઇકોર્ટએ પ્રદીપ શર્મા દોષી જાહેર કર્યો છે.

India Trending

વર્ષ 2006 માં મુંબઇમાં ગેંગસ્ટર છોટા રાજનના સહયોગી રામનારાયણ ગુપ્તાની નકલી એન્કાઉન્ટરના મામલામાં મુંબઇ હાઇકોર્ટએ પ્રદીપ શર્મા દોષી જાહેર કર્યો છે. અને કોર્ટે તેમને આજીવન જેલની સજા આપી છે.નિવૃત પોલીસકર્મી પ્રદીપ શર્મા પર રામનારાયણ ગુપ્તાના નકલી એન્કાઉન્ટર કરવાનો આરોપ છે. જોકે સેંસર કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો હતો. પરંતુ હવે તેમને હાઇકોર્ટે દોષી કરાર આપતા તેને  આજીવન જેલની સજા આપી છે.

હાઇકોર્ટના આદેશથી સેન્સર કોર્ટનો પહેલો આદેશ ખૂબ જ અલગ છે. કારણ કે કોર્ટે પહેલા પ્રદીપ શર્માને પહેલા નિદોર્ષ જાહેર કર્યો હતો. અને ન્યાયાધીસ રેવતી મોહિતે ડેરે અને ન્યાયાધીસ ગૌરી ગોડસેની એક બેંચે પ્રદીપ શર્માને છોડી દેવાના આદેશને બિનટકાવ કરાર આપતા રદ કર્યો છે. નીચલી કોર્ટે કહ્યુ છે કે પ્રદીપ શર્માની સામે પ્રાપ્ત સબૂતને નજરઅંદાજ કર્યા હતા.

11 નવેમ્બર 2006 માં એક પોલીસ હુમલામાં પોલીસ ટીમે રામનારાયણ  ગુપ્તાને પડોસીના સંદેહથી પકડ્યો કે તે રાજન ગિરોહનો માણસ હોય. તેની સાથે તેના દોસ્ત અનીલ  ભેડાને પણ પકડી પાડવામાં આ્વ્યો હતો. રામનારાયણ ગુપ્તાને તે જ રાત્રે  મુંબઇના નાની નાની પાર્કમાં નકલી એન્કાઉટરથી તેની હત્યા કરી દેવામાં આવી હતી. કોર્ટે કહ્યુ કે પ્રદીપ શર્માને ગુનાહીત કાવતરુ, હત્યા,અપાહરણ અને ખોટી રીતે જેલવાસ જેવા બઘા  આરોપોમાં દોષી જાહેર કર્યા છે. અને તેમને આજીવન જેલવાસની સજા આપી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બીજા જિલ્લામાં પતિ છે કલેકટર, પરંતુ AMC માં રોફ જોશો તો તમે પણ કહેશો….

આ પણ વાંચો:ગઈકાલ સુધી બધું બરોબર હોવાનો રંજનબેન ભટ્ટનો દાવો

આ પણ વાંચો:કેતન ઇનામદારનો બળાપોઃ પક્ષમાં નાના કાર્યકરોનું ધ્યાન રખાતું નથી

આ પણ વાંચો:રાજ્યમાં અનુભવાતો ઉનાળોઃ તાપમાને 40 ડિગ્રી તરફ લગાવી દોટ