Gujarat News/ ટોલ ટેક્સમાંથી ધીકતી કમાણી, પણ ખેડૂતોની આંખે આવ્યા ‘પાણી’! કોંગ્રેસ

રાજ્ય સરકાર ટોલટેક્ષમાંથી ધીકતી કમાણી કરી રહી છે ત્યારે એક વખતની જમીન આપી કાયમ માટે આવકનું સાધન ગુમાવનારા ખેડૂતોને તેમાંથી અમુક હિસ્સો આપવા મામલે કોંગ્રેસ નેતાએ અપીલ કરી.

Top Stories Gujarat
Cricket Tutorials YouTube Thumbnail 46 ટોલ ટેક્સમાંથી ધીકતી કમાણી, પણ ખેડૂતોની આંખે આવ્યા 'પાણી'! કોંગ્રેસ

Gujarat News: રાજ્ય સરકાર ટોલટેક્ષમાંથી ધીકતી કમાણી કરી રહી છે ત્યારે એક વખતની જમીન આપી કાયમ માટે આવકનું સાધન ગુમાવનારા ખેડૂતોને તેમાંથી અમુક હિસ્સો આપવાનું સરકાર વિચારે તે જરૂરી છે, તેમ કોંગ્રેસના આગેવાન પાલ આંબલિયાએ જણાવ્યું. તેમણે CM ભૂપેન્દ્ર પટેલને લખેલ પત્રમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને રજૂઆત કરી.

વધુમાં તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો કે ખેડૂતોની જમીન સંપાદન કર્યા બાદ રાજ્ય સરકાર ત્યાં રોડ બનાવી ટોલટેક્ષ લઈ વધુ આવક મેળવે છે. જે રોડ એક સમયમાં સેવાનું માધ્યમ હતું તે હવે એક કોમર્શિયલ પ્રક્રિયા થઈ ગઈ છે અને ગુજરાત નહિ પરંતુ સમગ્ર ભારતમાં આ જ સ્થિતિ જોવા મળી રહી છે. ખેડૂતો સરકારને પોતાની જમીન આપી દે છે ત્યારે તેઓ તેમની કાયમી આવકનું માધ્યમ ગુમાવે છે. કોંગ્રેસ નેતાએ વધુ માહિતી આપતા જણાવ્યું કે ટોલટેક્ષ બનાવવા કરોડોનો ખર્ચ થાય છે. પરંતુ તેના બાદ તેમાંથી ચારગણી આવક મળે છે. ગુજરાતમાં 9 જ ટોલટેક્ષની વાત કરીએ તો અમદાવાદ વડોદરા હાઇવે બનાવવાનો કુલ ખર્ચ બે હજાર એક સો પચીસ કરોડ થયો છે તેની સામે અત્યાર સુધીમાં ચાર હજાર નવ સો સાત કરોડ રૂપિયા ટોલટેક્ષના નામે ઉઘરાવી લીધા છે મતલબ ખર્ચ કરતા ડબલ વસુલાત થઈ ગઈ છે. હવે રોડ રસ્તાએ સેવાનું માધ્યમ નહિ પણ એક બિઝનેસ થઈ ગયા હોવાનો આક્ષેપ કર્યો.

જયારે વડોદરા ભરૂચ સેસન એક હજાર સાત સો આઠ કરોડ રૂપિયા હાઇવે બનાવવાનો ખર્ચ સામે ચાર હજાર ચારસો પંચાણું કરોડ રૂપિયા ટોલટેક્ષના નામે વસૂલી લેવામાં આવ્યું. મતલબ કે ખર્ચ કરતા 4 ગણો ટોલટેક્ષ વસુલવામાં આવ્યો છે. અને ભરૂચ સુરત સેસન એક હજાર પાંચ સો નેવ્યાસી કરોડ રૂપિયા રોડ બનાવવાના ખર્ચ સામે ત્રણ હજાર એક સો નેવું રૂપિયા ટોલટેક્ષ વસુલ કરવામાં આવ્યો છે. તો સુરત વાપી સેસન બનાવવાનો ખર્ચ એક હજાર છસો ત્રાણું કરોડ રૂપિયાની સામે ટોલટેક્ષ વસુલાત એક હજાર નવ સો છપ્પન કરોડ કરવામાં આવી છે.

આ ઉપરાંત સુરત હજીરા સેસન રોડ બનાવવાનો કુલ ખર્ચ એક હજાર પાંચ સો નવ કરોડની સામે ટોલટેક્ષની વસુલાત એક હજાર છસો ચિમોતેર કરોડ રૂપિયા કરવામાં આવી છે. તેમજ ગોધરા -ગુજરાત MP બોર્ડર રોડ બનાવવાનો કુલ ખર્ચ સાત સો છીંયાસી કરોડ સામે ટોલટેક્ષની વસુલાત એક હજાર ચાલીસ કરોડ કરવામાં આવી છે. ત્યારે સામખીયાળી – ગાંધીધામ રોડ બનાવવાનો કુલ ખર્ચ આઠ સો પાંચ કરોડ રૂપિયાની સામે ટોલટેક્ષની વસુલાત એક હજાર ચોંત્રીસ કરોડ કરવામાં આવી ચૂકી છે. અને ગારામોર – સામખીયાળી હાઇવે બનાવવાનો કુલ ખર્ચ ત્રણ સો ઓગણચાલીસ કરોડ સામે સાત સો ઇઠ્ઠાસી કરોડ રૂપિયા વસુલાત કરાઈ. તો નર્મદા બ્રિજ સેસન બનાવવાનો કુલ ખર્ચ પાંચ સો સાત કરોડ સામે પાંચ સો નવ્વાણું કરોડ રૂપિયા ટોલટેક્ષ વસૂલાત કરવામાં આવી છે. આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે હાઈવે બનાવવાના કુલ ખર્ચની સામે ટોલટેક્ષની વસુલાતથી રાજ્ય સરકારને ચારગણી કમાણી થાય છે.

આ વિગતો દર્શાવે છે કે ખેડૂતો પાસેથી જમીન સંપાદન કર્યા બાદ રાજ્ય સરકાર ટોલટેક્ષ દ્વારા ધીકતો ધંધો કરે છે ત્યારે જેની પાસેથી જમીન લીધી હોય તેને ત્યાંથી પસાર થતા ટોલટેક્ષ આપવો પડે છે. રાજ્ય સરકાર અત્યાર સુધીમાં જેટલું રોકાણ હતું તેનાથી અમુક ટોલટેક્ષ ત્રણ ચાર ગણું વળતર મેળવી ચુક્યા છે અને હજુ વર્ષો સુધી આ જ રીતે કમાણી કરતા રહેશે ત્યારે સવાલ એ છે કે રાજ્ય/કેન્દ્ર સરકાર રોડ રસ્તા નાગરિકોની સુવિધા માટે બનાવે છે તો જેમની જમીન હતી તે ખેડૂતોનો કમાણીમાં હિસ્સો કેમ નહિ ?

ગુજરાતના ખેડૂતોના પ્રશ્નોને લઈને ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ મામલાનો ઉકેલ લાવવા રજૂઆત કરી. તેમણે રાજ્ય સરકારને આ અંગે કેટલાક સૂચનો પણ કર્યા જેથી સરકારે જે ખેડૂતોની જમીન સંપાદન કરી છે તેમને પણ લાભ મળે.

  • દરેક રોડ બનાવવામાં આવે ત્યારે ખેડૂતોની ફળદ્રુપ ખેતી લાયક જમીન સંપાદન કરવામાં આવે છે આ જમીન સંપાદન કરતી વખતે સરકાર એમ કહે છે કે આ તો રાષ્ટ્ર નિર્માણનું કાર્ય છે તેમાં અવરોધરૂપ ન થવાય રાષ્ટ્ર નિર્માણના નામે સરકાર ખેડૂતો પાસેથી જંત્રી ભાવે જમીન પચાવી પાડે છે અને ત્યાર બાદ તેના પર પોતાની માનીતી કંપનીઓને “ટોલટેક્ષ” નામની દુકાન ખોલવાની મંજૂરી આપે છે અને આ કંપનીઓ કેટલા કમાય છે તે ઉપરના ઉદાહરણો પરથી સ્પષ્ટ થાય છે.
  • જ્યારે સરકાર પોતે હાઇવે બનાવી તેના પર પોતાની માનીતી કંપનીઓ પાસે ટોલટેક્ષ નામની દુકાન ખોલાવી કરોડ અબજો રૂપિયા કમાય છે તો તેમાં ખેડૂતોની જમીન જંત્રી ભાવે શા માટે લેવામાં આવે છે ??? 2013 ના UPA સરકારના જમીન સંપદનના કાયદા મુજબ 80% ખેડૂતોની સહમતી અને બજાર ભાવના ચાર ગણા વળતરની જોગવાઈ છે તેનું પાલન શા માટે કરવામાં નથી આવતું ??
    જ્યારે સરકાર રોડ પર ટોલટેક્ષ દ્વારા ધીકતો ધંધો કરે છે તો તેમાં જમીન આપનાર દરેક ખેડૂતને ટોલટેક્ષ દ્વારા થતી કમાણીનો અમુક હિસ્સો ભાગે પડતો શા માટે વહેંચવામાં નથી આવતો ?? જ્યારે રોડ જ ખેડૂતના ખેતર પર બન્યા છે તો ટોલટેક્ષની કમાણીનો અમુક હિસ્સો રોડ માટે જમીન આપનાર ખેડૂતોને આપવો જોઈએ તેવી અમારી માંગ છે.
  • જે રોડ બનાવવા જે ખેડૂતનું ખેતર જમીન સંપાદનમાં ગયું હોય એ જ ખેડૂત પોતાની કાર લઈને કે પોતાના ખેતરની ખેત પેદાશનો ભરેલો ટ્રક લઈને નીકળે તો એ જ ખેડૂતે ટોલટેક્ષ ચૂકવવો પડે છે આવું શા માટે ?? ખેડૂતે પહેલા પોતાની મહામૂલી જમીન તો આપી તો આવા તમામ ખેડૂતોને અને તેના પરિવારને ટોલટેક્ષમાંથી મુક્તિ આપવી જોઈએ.
  • રાજ્ય / કેન્દ્ર સરકાર ખેડૂતોને જો ટોલટેક્ષના ધિકતા ધંધામાંથી હિસ્સેદારી ન આપે તો જે ખેડૂતની જેટલા ચોરસ મીટર જમીન સંપાદન થઈ હોય તે ખેડૂતોને ચોરસ મીટર પ્રમાણે કિંમત નક્કી કરી માસિક ભાડું આપવું જોઈએ જેથી જેટલા વર્ષ ટોલટેક્ષ દ્વારા કમાણી થાય એટલા વર્ષ ખેડૂતોને નિયત ભાડું મળતું રહે.

સરકાર ખુદ જ્યારે રોડ રસ્તા હાઇવે ના નામે ધીકતો ધંધો કરતા હોય ત્યારે આ રોડના પાયામાં જેની જમીન છે તેવા ખેડૂતોએ શા માટે ભોગવવાનું ?? જ્યાં જ્યાં સરકાર, ખાનગી કંપનીઓ કરાર આધારિત કે વપરાસી હક્કના નામે કે સંપાદન કરી ખેતીની જમીનનો રોડ બનાવવા, પાઇપ લાઇન કાઢવા, કેબલ પસાર કરવા, વીજ લાઇન પસાર કરવા કે વીજ ઉત્પાદન કરવા ખેડૂતોની જમીનનો જ્યાં જ્યાં ઉપયોગ કરી ધીકતો ધંધો કરવામાં આવે છે તેવા દરેક કિસ્સામાં ખેડૂતોને જે તે ધંધાના નફામાંથી હિસ્સેદારી અથવા માસિક ભાડું આપવું જોઈએ સરકાર ખુદ જ્યારે ધંધો કરે છે ત્યારે આ ધંધામાંથી ખેડૂતોને પણ તેની હિસ્સેદારી મળવી જોઈએ તેમ કોંગ્રેસ નેતાએ અપીલ કરી.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ પોલીસ હવે AI કેમેરાથી પકડશે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને

આ પણ વાંચો: અમદાવાદ પોલીસ બેડામાં બદલીનો દોર યથાવત, વધુ 10 પોલીસકર્મીઓની બદલી

આ પણ વાંચો: ઉત્તરાયણ સંદર્ભે અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું : લાઉડ સ્પીકર અને કેટલાક પતંગ પર પ્રતિબંધ