Mehsana News: મહેસાણા જિલ્લાના જોટાણામાં પ્રેરણા બંગલોઝમાં રહેતા કોંગ્રેસ અગ્રણી મૃગેશ ચાવડાના ઘરમાં ધોળે દિવસે લૂંટારુંઓએ એક સપ્તાહ પહેલા લૂંટ ચલાવી હતી.
એક સપ્તાહ જેટલો સમય વીતવા છતાં જોટાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મૃગેશ ચાવડાના ઘરમાં થયેલી લૂંટના આરોપીઓ પકડાયા નથી, ત્યારે આજે વેપારીઓ અને ગ્રામજનો એ આજે જોટાણા બંધનું એલાન આપતા આજે જોટાણા ગામના બજારો સજ્જડ બંધ રાખી વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે.
કારમાં આવેલા લૂંટારુઓએ ધોળે દિવસે ઘરમાં ઘુસી ઘરની ત્રણ મહિલા ઓને બંધક બનાવી રિવોલ્વર ની અણીએ રૂપિયા 44.92 લાખના મુદ્દામાલની લૂંટ કરી લૂંટારું ફરાર થયા હતા.
સાત દિવસ બાદ પણ મહેસાણા પોલીસ હજુ સુધી લૂંટારુઓના વાવડ મેળવવામાં નિષ્ફળ જતા કોંગ્રેસ અગ્રણીઓએ વેપારીઓ સાથે મળી બંધના એલાનના પગલે જોટાણા માં વેપારીઓએ આજે બંધ પાળી વિરોધ નોંધાવ્યો છે.
આ પણ વાંચો:સુરતના આ વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, 5 વર્ષના બાળકનું
આ પણ વાંચો:ભાદરવી પૂનમના મેળામાં ઉમટ્યા લાખો માઈભક્તો, ચીકીના પ્રસાદને નકાર્યો
આ પણ વાંચો:સુરતમાં સરકારી અનાજના કાળા બજારીનો પર્દાફાશ
આ પણ વાંચો:દિનેશ દાસાની UPSCના સભ્ય તરીકે વરણી, PM મોદીનો માન્યો આભાર