બેનામી પ્રોપર્ટી કેસમાં ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ મંગળવારે ફરી રોબર્ટ વાડ્રાની ઓફિસે પહોંચ્યા છે. આ પહેલા સોમવારે રોબર્ટ વાડ્રાને આયકરની ટીમે આઠ કલાક સુધી પૂછપરછ કરી હતી. આ તપાસ બિકાનેર અને ફરીદાબાદમાં જમીનના વેચાણ અને ખરીદી અંગે કરવામાં આવી રહી છે. જો સૂત્રોનું માનવમાં આવે તો, પાછલા દિવસની પૂછપરછ દરમિયાન, રોબર્ટ વાડ્રાના કેટલાક દસ્તાવેજો વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આઈટી સમક્ષ રોબર્ટ વાડ્રા આ કાગળો રજૂ કરી શક્યા નહતા.
હકીકતમાં, બેનામી સંપત્તિના કેસમાં, આવકવેરા વિભાગની ટીમે અગાઉ રોબર્ટ વાડ્રાને સમન્સ મોકલ્યું હતું, પરંતુ તે કોરોના સમયગાળાને કારણે આવી શક્યા નહીં. આપને જણાવી દઈએ કે રોબર્ટ વાડ્રા સોનિયા ગાંધીની પુત્રી, કોંગ્રેસના વચગાળાના પ્રમુખ અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ અને રાહુલ ગાંધીના જીજાજી છે.
તે જ સમયે, બુધવારે ઇડીના દરોડા અને આવકવેરા વિભાગની પૂછપરછ પર રોબર્ટ વાડ્રાએ કહ્યું હતું કે મારી ઓફિસમાંથી 23,000 દસ્તાવેજો લેવામાં આવ્યા છે. શરૂઆતથી અમે જે કર્યું છે તે રેકોર્ડ પર છે અને તેનો કર ચૂકવવામાં આવ્યો છે. તેમાં કોઈ કરચોરી કરવામાં આવી નથી. તેઓએ જે પણ સવાલ પૂછ્યા છે તેનો જવાબ આપવામાં આવ્યો છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…