પ્રહાર/ એસ જયશંકરે આતંકવાદ મુદ્દા પર પાકિસ્તાન પર કર્યા આકરા પ્રહાર,જાણો શું કહ્યું..

વિદેશ મંત્રીએ આતંકવાદના મુદ્દાનો ઉલ્લેખ કર્યો અને એકવાર પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો

Top Stories India
11 2 13 એસ જયશંકરે આતંકવાદ મુદ્દા પર પાકિસ્તાન પર કર્યા આકરા પ્રહાર,જાણો શું કહ્યું..

કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે જણાવ્યું કે પાકિસ્તાન સાથે ભારતના સંબંધો કેમ સામાન્ય ન થઈ શકે. વિદેશ મંત્રીએ આતંકવાદના મુદ્દાનો ઉલ્લેખ કર્યો અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો.કેન્દ્રીય મંત્રી જયશંકરે કહ્યું, “અમે આતંકવાદને સામાન્ય બનવાની મંજૂરી આપી શકતા નથી, અમે તેને પાકિસ્તાન સાથે ચર્ચાનો આધાર બનવાની મંજૂરી આપી શકતા નથી.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ  ગોવામાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન ગ્રુપમાં સામેલ દેશોના વિદેશ મંત્રીઓની બેઠક બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે આતંકવાદના મુદ્દે પાકિસ્તાનની આકરી ટીકા કરી હતી.આ બેઠકમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ પણ ભાગ લીધો હતો. ભારત પર આડકતરી રીતે આરોપ લગાવતા બિલાવલે કહ્યું હતું કે રાજદ્વારી લાભ માટે આતંકને શસ્ત્ર બનાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ.બિલાવલના નિવેદન પર વિદેશ મંત્રી એસ જયશંકરે બેફામપણે કહ્યું કે આતંકવાદનો ભોગ બનેલા લોકો આતંકવાદ પર ચર્ચા કરવા આતંકવાદના ગુનેગારો સાથે નથી બેસતા. આ સાથે વિદેશ મંત્રી જયશંકરે પાકિસ્તાનને આતંકવાદનો ઉદ્યોગ ગણાવ્યો હતો અને બિલાવલ ભુટ્ટો ઝરદારીને તેના પ્રમોટર, ન્યાયકર્તા અને પ્રવક્તા ગણાવ્યા હતા.

7 મેના રોજ, મૈસુરમાં કેન્દ્ર સરકારની વિદેશ નીતિ સાથે સંબંધિત એક કાર્યક્રમમાં, તેમના પાકિસ્તાની સમકક્ષનો ઉલ્લેખ કરીને, વિદેશ પ્રધાન જયશંકરે કહ્યું હતું કે, “જો મારી પાસે સારો મહેમાન છે, તો હું એક સારો યજમાન છું. “