ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં ધરપકડ કરાયેલા શાહરૂખ ખાનના પુત્રની જામીન અરજી પર આવતીકાલે ચુકાદો આવશે. પોતાના દીકરાને જેલમાંથી બહાર કાઢવાની કોશિશ કરી રહેલા શાહરૂખે નવા વકીલને નીમ્યો છે. આર્યન ખાનની તરફેણ કરતા અમિત દેસાઈએ હિટ એન્ડ રન કેસમાં બોલીવુડ અભિનેતા સલમાન ખાનને પણ રાહત આપી છે. આવી સ્થિતિમાં એ જોવું રસપ્રદ રહેશે કે તે આર્યન ખાનને રાહત આપવામાં સફળ થાય છે કે નહીં.
સુત્રોના જણાવ્યા અનુસાર, વરિષ્ઠ વકીલ અમિત દેસાઈ સોમવારે આર્યન ખાનની જામીન સુનાવણી માટે દલીલ કરતા જોવા મળ્યા હતા. જ્યારે આર્યન ખાનના વકીલ અમિત દેસાઈએ સોમવારે જામીન અરજીનો સંદર્ભ આપ્યો હતો, ત્યારે NCB ના વકીલોએ પ્રતિસાદ આપવા અને સોગંદનામું દાખલ કરવા માટે એક અઠવાડિયાનો સમય માંગ્યો હતો. દેસાઈએ તેનો વિરોધ કરતા કહ્યું કે તે વ્યક્તિની સ્વતંત્રતાનો પ્રશ્ન છે. તેમણે દલીલ કરી હતી કે આરોપીને જામીન પર મુક્ત કરવાથી કેસમાં તપાસ બંધ નહીં થાય.
વકીલે કહ્યું કે NCB તપાસ ચાલુ રાખી શકે છે. આ તેમનું કામ છે. પરંતુ મારા ક્લાયન્ટ (આર્યન) ને કસ્ટડીમાં રાખવું જરૂરી નથી, કારણ કે તેની પાસેથી કશું જ મળ્યું નથી. દેસાઈએ એવો પણ દાવો કર્યો હતો કે આર્યન પાસેથી કોઈ માદક દ્રવ્યો મળ્યા નથી. ધરપકડ બાદથી તે એનસીબીની કસ્ટડીમાં છે અને તેનું નિવેદન બે વખત નોંધવામાં આવ્યું છે. હવે તેમને જેલમાં રાખવાની શું જરૂર છે?
જેને પગલે કોર્ટે કહ્યું કે આર્યન ખાનની જામીન અરજી પર બુધવારે સુનાવણી થશે. આ કેસમાં ધરપકડ કરાયેલા આર્યન ખાન ઉપરાંત મુનમુન ધામેચા, અરબાઝ મર્ચન્ટ, નૂપુર સતીજા અને મોહક જયસ્વાલે પણ જામીન અરજી કરી છે. આર્યન ખાન વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ 8 (સી), 20 (બી), 27, 28, 29 અને 35 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. NCB કેસમાં અત્યાર સુધીમાં 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે.આપને જણાવી દઈએ કે અમિત દેસાઈએ 2015 માં સલમાન ખાનની જામીન અરજીનો કેસ લડ્યો હતો. તેમણે નીચલી અદાલતના નિર્ણયને પડકાર્યો હતો જેમાં સલમાનને 5 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.
લખીમપુર ખેરી / રાકેશ ટિકૈતે કહ્યું – પોલીસમાં મંત્રીના પુત્રની પૂછપરછ કરવાની હિંમત નથી, ગુલદસ્તા વાળું રિમાન્ડ
મહારાષ્ટ્ર / દેવેન્દ્ર ફડણવીસે કહ્યું – મને હજુ પણ લાગે છે કે હું મુખ્યમંત્રી છું કારણ કે …
National / પૂર્વ IAS ઓફિસર અમિત ખરેની વડાપ્રધાનના સલાહકાર તરીકે નિમણૂક, તેમના વિશે જાણો