ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો વચ્ચે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વીટ કર્યું છે. તેમણે EVM પર નજર રાખવા માટે સપા કાર્યકરોનો આભાર માન્યો છે. અખિલેશ યાદવે પાર્ટી કાર્યકર્તાઓને મતગણતરી કેન્દ્રો પર નજર રાખવાનો આદેશ આપ્યો હતો. નેતાઓ માટે 8-8 કલાકની ત્રણ શિફ્ટ આપવામાંઆવી હતી.
અખિલેશ યાદવે ટ્વીટ કર્યું કે, ‘પરીક્ષણ હજુ બાકી છે, ‘નિર્ણયો’ લેવાનો સમય આવી ગયો છે. મતગણતરી કેન્દ્રો પર દિવસ-રાત સતર્ક અને સભાનપણે સક્રિય રહેવા બદલ SP-ગઠબંધનના દરેક કાર્યકર, સમર્થક, નેતા, પદાધિકારી અને શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર. ‘લોકશાહીના સિપાહીઓ’ વિજયના પ્રમાણપત્ર સાથે પાછા ફરશે
इम्तिहान बाकी है अभी हौसलों का
वक़्त आ गया है अब ‘फ़ैसलों’ कामतगणना केंद्रों पर दिन-रात सतर्क और सचेत रूप से सक्रिय रहने के लिए सपा-गठबंधन के हर एक कार्यकर्ता, समर्थक, नेतागण, पदाधिकारी और शुभचितंक को हृदय से धन्यवाद!
‘लोकतंत्र के सिपाही’ जीत का प्रमाणपत्र लेकर ही लौटें!
— Akhilesh Yadav (@yadavakhilesh) March 10, 2022
શરૂઆતના ટ્રેન્ડમાં સમાજવાદી પાર્ટી 82 સીટો પર આગળ ચાલી રહી છે, જ્યારે બીજેપી 120 સીટો પર આગળ છે. બસપા અને કોંગ્રેસ 5-5 સીટો પર આગળ છે.