- આવતીકાલે જૂનાગઢના ભવનાથમાં સંત સંમેલન
- સનાતન ધર્મ પર થતા પ્રહારો સામે લડત આપવા સંમેલન
- સંત સંમેલનમાં ગુજરાતભરના સંતો-મહંતો રહેશે હાજર
- અલગ અલગ સમિતિઓની સંત સંમેલનમાં કરાશે રચના
- સંત સંમેલનને લઇ સાધુ-સંતોનું ગોરક્ષનાથ આશ્રમે આગમન
- ગોરક્ષનાથ આશ્રમે સંત સંમેલનને લઇ તૈયારીઓ પૂર્ણ
સનાતન ધર્મ પર જે પ્રમાણે પ્રહાર થઇ રહ્યા છે જેના લીધે સંત સમાજે સંત સંમેલનનું આયોજન જૂનાગઢના ભવનાથમાં કર્યો છે.આ સંત સંમેલનનો એજન્ડાએ છે કે સનાતન ધર્મ પર જે પ્રમાણે અનેક સમુદાયો તરફથી પ્રહાર કરવામાં આવી રહ્યા તેની સામે લડત આપવાનું છે. જેના લીધે મોટા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંત સંમેલનમાં ગુજરાતભરના સંતો અને મહંતો હાજર રહેશે. આ સંમેલનમાં જુદી જુદી સમિતિઓની પણ રચના કરવામાં આવશે. આ સંત સંમેલનમાં સાધુ-સંતોનું ગોરક્ષનાથ આશ્રમે આગમનની શરૂઆત થઇ ગઇ છે. ગોરક્ષનાથ આશ્રમે સંત સંમેલનને લઇને તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરી છે.