અમદવાદઃ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશન નિરંજન શાહ સહિત 23 સભ્યો સામે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડે પર્યાવરણનું સર્ટિફિકેટ નહી લેતા પડધરી કોર્ટમાં ફોજદારી ફરીયાદ કરી છે.
રાજકોટમાં નવા બંધાયેલા ખેંઢેરી સ્ટેડીયમના નવા બાંધકામ કરવા માટે SCA દ્વારા પર્યાવરણનું સર્ટિફિકેટ લેવામાં આવ્યું નહોતું.
આ ફરિયાદમાં SCAના પ્રમુખ ડૉ.લાલ રાઠોડનું પણ ફરિયાદમાં નામ છે. ઉપરાંત ફરિયાદમાં બાલસિંહ સરવૈયા, નાથાભાઈ સિસોદીયા, મધુકર વોરાનું પણ નામ શામેલ છે. નીતિન રાયચૂરા, સૂરુભાઈ દોષી, ભૂપત તલાટિયા, મુકેશ શાહના નામનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.