CBI/ દિલ્હીની હોસ્પિટલમાંથી બાળકોની ચોરી થતા ફફડાટ

સીબીઆઈની તપાસમાં ચાઈલ્ડ ટ્રાફિકિંગનો પર્દાફાશ

Top Stories India

Delhi News : દિલ્હીમાં બાળકોની ચોરીને પગલે તપાસ થતા ચોંકાવનારી માહિતી બહાર આવી છે. સીબીઆઈએ એનસીઆરના વિવિધ ઠેકાણેતી 7 થી 8 બાળકોને છોડાવવામાં આવ્યા હતા. જેમાં નવજાત બાળકોના ખરીદ-વેચાણનો મામલો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે.

 

સીબીઆઈએ આ સંદર્ભે કેટલાક લોકોની ધરપકડ કરી છે. આરોપીઓમાં હોસ્પિટલનાં વોર્ડ બોય સહિત કેટલાય પુરૂષો અને મહિલાઓનો સમાવેશ થાય છે. સીબીઆ હવે બાળકને વેચનાર મહિલા તથા ખરીદનારી વ્યક્તિની પુછપરછ કરી રહી છે. સાથે સાથે કેટલાક લોકોને અટકમાં લઈને પુછપરછ પણ કરવામાં આવી છે.

સીબીઆઈએ દિલ્હીના કેશવપુરમમાં એકઘરમાંથી બે નવજાત બાળકોને બચાવ્યા હતા. તાજેતરમાં દિલ્હીની હોસ્પિટલોમાંથી બાળકોના ગૂમ થવાની ઘટનાઓ ચકચાર જગાવી હતી. જેને પગલે સીબીઆઈએ આ મામલો બાળકોની ખરીદી અને વેચાણનો એટલે કે ચાઈલ્ડ ટ્રાફિકિંગનુ કૌભાંડ હોવાનું જણાયું હતું. જેને લઈને સીબીઆઈએ ઠેકઠેકાણે દરોડા પાડ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું, સરકારની નીતિઓનો ભોગ બની રહ્યા છે પરિવારો

આ પણ વાંચો:સુરતમાં એક વ્યક્તિ સાથે ઠગબાજોએ કરી છેતરપિંડી, વિશ્વાસમાં લઈ પડાવ્યા 15 લાખ રૂપિયા

આ પણ વાંચો:સુરત રેલ્વે સ્ટેશન પર 42 જેટલી ટ્રેનોને અસર, જાણો શા માટે