Aravalli News: મોડાસામાં ભૂગર્ભ ગટરલાઈનમાં સ્કૂલ વાન ખાબકતા વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મૂકાયો હતો. જોકે, વિદ્યાર્થીઓનો સમયસર આબાદ બચાવ થયો હતો. પાંચ વિદ્યાર્થીઓ સ્કૂલવાનમાં બેઠા હતા. ગટરલાઈનની કામગીરીમાં અનેક જગ્યાએ ખાડાઓ પડ્યા છે. પાલિકા દ્વારા સમયસર કામ ન થતાં સ્થાનિક રહેવાસીઓ પર સંકટ ઊભું છયું છે.
અરવલ્લી જીલ્લામાં મોડાસા તાલુકામાં ભૂગર્ભ ગટરલાઈનની કામગીરી ચાલી રહી છે. પરંતુ સમયસર કામ પૂર્ણ ન થતાં લોકોના જીવ જોખમમાં મૂકાયા છે. શાળાએ જતી સ્કૂલવાનમાં 5 વિદ્યાર્થીઓ સવાર હતા. ભૂગર્ભ ગટરલાઈનમાં સ્કૂલવાન ખાબકતા બાળકોના જીવ જોખમમાં મૂકાયા હતા. જોકે, તેમનો બચાવ થયો હતો.
પરંતુ આ ઘટના બાદ સ્થાનિકોમાં વધારે રોષ જોવા મળ્યો છે. સમયસર રિપેરિંગ ન કરાતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. તંત્ર ઝડપથી કાર્યવાહી કરે તેવી માગ કરાઈ હતી.
આ પણ વાંચો:આવાસ કૌભાંડમાં કવા ગોલતર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ? મનપાને મળ્યો સહકાર
આ પણ વાંચો:‘ઇલેક્ટોરલ બોન્ડ એ વિશ્વનું સૌથી મોટું ખંડણી રેકેટ’, રાહુલ ગાંધીના ભાજપ પર આકરા પ્રહાર