Rajkot News: રાજકોટમાં આવાસ યોજનામાં ગરીબોના હકનું છીનવી લેનારા કવા ગોલતર સામે પોલીસ ફરિયાદ થઈ શકે છે તેવું જાણવા મળ્યું છે. એક પછી એક કવા ગોલતર અને મનસુખ જાદવના કારસ્તાન અને કૌભાંડો બહાર આવી રહ્યા છે. તે જોતાં શહેર ભાજપે મનપાને સહકાર આપ્યાના સંકેતો મળ્યા છે.
આવાસ યોજનામાં રાજકોટ મહાનગરપાલિકા કલા ગોલતર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી શકે છે તેવું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. કવા ગોલતર અને મનસુખ જાદવે કાળા કરતૂતો કરી કરોડોની કમાણી કર્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઉપરાંત, મંદિરો, સરકારી જમીનો પચાવી પાડી ગેરકાયદેસર મિલકતો, દુકાનો, ઓફિસ વગેરે ઊભી કરવાનું પણ જાણવા મળ્યું છે.
કોર્પોરેટરના પતિ દ્વારા કરોડોનું કૌભાંડ આચરતા શહેર ભાજપે મનપાને કાર્યવાહીમાં સહકારના સંકેત આપ્યા હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
આ પણ વાંચો:‘ઇલેક્ટોરલ બોન્ડ એ વિશ્વનું સૌથી મોટું ખંડણી રેકેટ’, રાહુલ ગાંધીના ભાજપ પર આકરા પ્રહાર