આ વર્ષે ભારતમાં પાછલા વર્ષો કરતા વધુ ગરમ થવાની સંભાવના છે. ઉપરાંત, હીટ સ્ટ્રોક જીવલેણ સાબિત થઈ શકે છે. યુએસ સ્થિત ઓક રિજ નેશનલ લેબોરેટરી સહિત વિવિધ સંસ્થાઓના વૈજ્ઞાનિકોએ સંશોધનમાં આ દાવો કર્યો છે.સંશોધન મુજબ આ વખતે બળબળતી ગરમીને કારણે ભારતમાં અનાજ ઉત્પાદનના મોટા ભાગોને અસર થશે. વધારે ગરમીને કારણે કામ કરવામાં મુશ્કેલી આવશે. એટલું જ નહીં, આ સમયે વધુ ગરમીમાં કામ કરવું પણ અસુરક્ષિત સાબિત થઈ શકે છે. સંશોધન જણાવે છે કે ગરમીને કારણે ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં કામ કરવામાં સૌથી વધુ મુશ્કેલી પડશે. કોલકાતા, મુંબઇ અને હૈદરાબાદ જેવા મોટા શહેરોમાં ગરમી મુશ્કેલીનું કારણ બનશે.
વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે દર વર્ષે દક્ષિણ એશિયાના દેશોમાં આ સંકટ વધુ ઘેરાઈ રહ્યું છે. તાપમાનમાં 1.5 ડિગ્રી સેલ્સિયસનો વધારો પણ આ વિસ્તારોમાં ગંભીર અસર કરશે. તેથી, હાલના ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનને ઝડપથી ઘટાડવાની જરૂર છે.વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી હતી કે તાપમાન નિયંત્રણ ન થાય ત્યાં સુધી આવા જોખમોથી બચી શકાય નહીં. હાલની પરિસ્થિતિ જોતાં દક્ષિણ એશિયાના દેશોએ આજે આ દિશામાં કામ કરવાની જરૂર છે.
વૈશ્વિક આબોહવા સમિટ 22-23 એપ્રિલના રોજ હવામાન પરિવર્તન માટે યોજાનાર છે. આ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને પીએમ નરેન્દ્ર મોદી સહિત વિશ્વના 40 મોટા નેતાઓને આમંત્રણ આપ્યું છે. આ યાદીમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિન પણ શામેલ છે. આ સમિટ વર્ચુઅલ હશે. આ ઉપરાંત સામાન્ય લોકો માટે તેનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…