દેશમાં કોરોનાની સેકન્ડ વેવના લીધે ફરી લોકોમાં કોરોનાથી ભય ફેલાઈ જવા પામ્યો છે. ત્યાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 62,500 દર્દીઓ નોધાવવા પામ્યા છે. તેમજ એક્ટીવ કેસોમાં રોકેટ ગતિએ ઉછાળો આવ્યો છે. જેની સામે રીકવરી અડધાથી પણ ઓછી નોધાવવા પામી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 30,500 લોકો કોરોના મુક્ત થયા છે. જયારે મહારાષ્ટ્રના પુણેમાં દૈનિક સમગ્ર દેશમાં પ્રથમ નંબરે રહેવા પામ્યું છે.
દેશમાં કોરોનાની બીજી લહેરથી ફરી લોકોમાં કોરોનાનો ભય ઉભો થવા પામ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં 62,500 કોરોનાના નવા કેસ નોધાવવા પામ્યા છે.જેમાંથી 50 ટકા કરતા વધારે 37,500 કેસ માત્ર મહારાષ્ટ્રમાં નોંધવામાં આવ્યા છે. તેમજ એક્ટીવ કેસોમાં રોકેટ ગતિએ ઉછાળો આવ્યો છે. જેમાં એક્ટીવ કેસોની સંખ્યા 4.82 લાખને પાર થવા પામી છે. તેમજ રીકવરી રેટ પણ ઓછો નોધાવવા પામ્યો છે.જયારે મૃત્યુઆંક 1.61 લાખથી વધુ જોવા મળ્યો છે.
દેશમાં વિવિધ રાજ્યો જેવા કે ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ મધ્ય પ્રદેશ, કેરળ વગેરેમાં પણ કોરોનાની પરિસ્થિતિ દિન-પ્રતિદિન વકરતી જાય છે. જેના પગલે અહીં રાજ્ય સરકારો દ્વારા કડક નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે. તેમજ સેકન્ડ વેવની સાથે વધુ કડક નિયંત્રણો સાથેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી રહી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…