ઓરિસ્સા રાજ્યના પુરીમાં આવેલું શ્રી જગન્નાથ મંદિર, ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત વૈષ્ણવ સંપ્રદાયનું પ્રખ્યાત હિન્દુ મંદિર છે. અહીં શ્રી હરિ દરુમાયાના રૂપમાં બિરાજમાન છે. હાલના મંદિરનું નિર્માણ કાર્ય કલિંગ રાજા અનંતવર્મન ચોડગંગદેવ દ્વારા શરૂ કરાયું હતું. 1197 માં ઓડિયા શાસક અનંગાભિમાદેવે આ મંદિરને તેનું વર્તમાન સ્વરૂપ આપ્યું. મંદિરના ગર્ભગૃહમાં, ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ, સ્થાપિતછે. એવું કહેવાય છે કે આ મૂર્તિઓની પૂજા મંદિરના નિર્માણના ઘણા સમય પહેલાથી કરવામાં આવે છે. કલિંગ શૈલીમાં બનેલું આ મંદિર ભારતના ભવ્ય સ્મારકોમાંનું એક માનવામાં આવે છે. જગન્નાથ મંદિર સાથે સંકળાયેલા અજાયબીઓ ખૂબ જ આશ્ચર્યજનક છે. ભગવાન જગન્નાથના આ મંદિરની મુલાકાત લઈને કોઈ પણ આ અજાયબીઓને જોઈ શકે છે, પરંતુ ઘણા પ્રયત્નો કર્યા પછી પણ આ રહસ્યો હજુ સુધી બહાર નથી આવ્યા, તેમાંથી કેટલાક નીચે મુજબ છે.
જગન્નાથ મંદિરના રહસ્યો
પવનની વિરુદ્ધ દિશામાં લહેરાતો ધ્વજ
ભગવાનના મંદિરની ટોચ પરનો પવિત્ર ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાતો હોય છે. કેમ આવું થાય છે તે એક આશ્ચર્ય છે. આ ધ્વજ સાથે જોડાયેલી અન્ય એક અદ્ભુત બાબત એ છે કે તે રોજ બદલવામાં વે છે. અને તેને બદલનાર વ્યક્તિ પણ શિખર પર ઉંધો જ ચઢે છે. એવું માનવામાં આવે છે કે જો એક દિવસ ધ્વજ બદલવામાં નહીં આવે તો મંદિરના દરવાજા 18 વર્ષ સુધી બંધ થઇ જશે.
સુદર્શન ચક્ર સીધો દેખાય છે
અહીં મંદિરની ટોચ પર અષ્ટધાતુથી બનેલું સુદર્શન ચક્ર છે. આ ચક્રને નીલ ચક્ર પણ કહેવામાં આવે છે અને તે જોવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ચક્રની વિશેષતા એ છે કે જો તમે આ ચક્રને કોઈ પણ સ્થળેથી અથવા કોઈ દિશામાંથી જુઓ તો લાગે છે કે તેનો ચહેરો તમારી તરફ છે અને તે એકદમ સીધો લાગે છે.
પ્રસાદ ઓછો પડતો નથી
શ્રી જગન્નાથના મંદિરમાં સ્થિત રસોડું વિશ્વનું સૌથી મોટું રસોડું માનવામાં આવે છે. આમાં 500 જેટલા રસોઈયા અને 300 જેટલા સાથીઓ મળીને ભગવાનનો પ્રસાદ તૈયાર કરે છે. બીજું, પ્રસાદ રાંધવા માટે એકબીજાની ઉપર સાત માટીના વાસણ મૂકવામાં આવે છે અને પ્રસાદ રાંધવાની પ્રક્રિયા ઉપરના વાસણથી શરૂ થાય છે. ચૂલ્હા પર જ માટીના વાસણોમાં પ્રસાદ રાંધવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે મંદિરમાં પ્રસાદ ક્યારેય ઓછો થતો નથી અને મંદિરના દરવાજા બંધ થતાંની સાથે જ પ્રસાદ પણ સમાપ્ત થઈ જાય છે.
મંદિરની અંદર સમુદ્રના મોજાઓનો અવાજ સંભળાતો નથી.
એક બીજું અને મોટું રહસ્ય એ છે કે જેવા તમે સિંહ દરવાજાથી જગન્નાથ મંદિરમાં પ્રવેશ કરો ત્યારે સમુદ્રના મોજાઓનો અવાજ તમે સાંભળી શકતા નથી, પરંતુ મંદિરની બહાર એક પગથિયું નીકળતાંની સાથે જ તરંગોનો અવાજ શરૂ થઈ જાય છે. તમે આ અદ્ભુત અનુભવને ખાસ કરીને સાંજે અનુભવી શકો છો.
પક્ષીઓ મંદિર ઉપર ઉડતા નથી
ભગવાન જગન્નાથના આ મંદિર ઉપરથી પક્ષી પણ પસાર નથી થતા. પક્ષીઓ તો દુર પણ વિમાન અથવા હેલિકોપ્ટર પણ મંદિરની ઉપરથી પસાર થતા નથી.
ગુંબજની છાયા નથી પડતી
વિજ્ઞાનનો નિયમ છે જેની ઉપર પ્રકાશ પડે છે, તે તેની વિરુદ્ધ દિશામાં તેનો પડછાયો પણ જોવા મળે છે. પરંતુ પરંતુ ભગવાન જગન્નાથના મંદિરનો ઉપરનો ભાગ એટલે કે ગુંબજ વિજ્ઞાનના આ નિયમની વિરુદ્ધ છે. કારણ કે દિવસના કોઈ પણ સમયે ગુંબજ નો પડછાયો પડતો જ નથી.
અહીં વિપરીત પવન ફૂંકાય છે
સંન્ય રીતે જોવા મળે છે કે, દિવસ દરમિયાન સમુદ્રથી પૃથ્વી તરફ પવનનો પ્રવાહ આવે છે જ્યારે સાંજે દિશા બદલાય છે.અને પવન પૃથ્વીથી દરિયા તરફ ફૂંકાય છે, પરંતુ અહીં તે એક ચમત્કાર છે કે દિવસ દરમિયાન પૃથ્વીથી દરિયા તરફ અને સાંજે સમુદ્રથી પૃથ્વી તરફ પવન ફૂંકાય છે.