જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. કુલગામમાં સુરક્ષા દળોએ ત્રણ અજાણ્યા આતંકીઓને ઠાર કર્યા છે.
બુધવારે અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન એક પોલીસકર્મી ઘાયલ થયો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓની હાજરી અંગે મળેલી સૂચનાના આધારે, જિલ્લાના દુરુના નૌગામ શાહબાદમાં સુરક્ષા દળો દ્વારા ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જે દરમિયાન આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી.
અધિકારીએ જણાવ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો. તેમણે કહ્યું કે દળોએ જવાબી કાર્યવાહી કરી જે એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગઈ. તેમણે કહ્યું કે, પ્રારંભિક ગોળીબાર દરમિયાન એક પોલીસકર્મી ઘાયલ થયો હતો, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અધિકારીએ કહ્યું કે એન્કાઉન્ટર ચાલુ છે અને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.