Mumbai News/ મુંબઈમાં ગુજરાતી પરિવાર સાથે વડીલોની સંભાળ રાખનાર નોકરે જ કર્યો વિશ્વાસઘાત! 22 લાખના દાગીના લઈને થયો ફરાર

મૂંબઈમાં રહેતા 53 વર્ષીય ગુજરાતી વેપારી કૌશલ અરવિંદ ભુવાના ઘરમાંથી આશરે 22 લાખ રૂપિયાના સોના અને હીરાના દાગીના ચોરાઈ ગયા છે.

Top Stories India Breaking News
ગુજરાતી

Mumbai News:મુંબઈના માટુંગા વિસ્તારમાં ભાઉદાજી રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતા 53 વર્ષીય ગુજરાતી (Gujarati) વેપારી કૌશલ અરવિંદ ભુવાના ઘરમાંથી આશરે 22 લાખ રૂપિયાના સોના અને હીરાના દાગીના ચોરાઈ ગયા છે. આ ચોરી પાછળ તેમના જ ઘરમાં વડીલોની સંભાળ રાખવા રાખેલા 46 વર્ષીય નોકર નીતિન જાધવનો હાથ હોવાનો આરોપ છે. નીતિન ચોરી કરીને રફુચક્કર થઈ ગયો છે, અને માટુંગા પોલીસે તેની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે.વેપારીના ઘરમાં વિશ્વાસનો દુરુપયોગકૌશલ ભુવા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

ચોરી કરી નોકર થયો ફરાર

તેમના ઘરમાં બે વડીલોની સંભાળ માટે આશરે છ મહિના પહેલાં નીતિન જાધવને ફુલટાઇમ નોકર તરીકે રાખવામાં આવ્યો હતો. નીતિન દરરોજ સવારે 8 વાગ્યે આવીને વડીલોની સંભાળ રાખતો અને સાંજે પાછો ઘરે જતો હતો.પરંતુ 6 ડિસેમ્બરથી અચાનક નીતિન કામ પર આવવાનું બંધ કરી દીધું. પરિવારે અનેક વખત તેના ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનો કોઈ જવાબ ન મળ્યો.

આથી પરિવારને શંકા થઈ અને વડીલોના બેડરૂમમાં વૉર્ડરોબમાં રાખેલા દાગીનાની તપાસ કરી. તપાસમાં 16 પ્રકારના સોના અને હીરા જડિત દાગીના ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું, જેની કુલ કિંમત આશરે 22 લાખ રૂપિયા છે.ઘરમાં લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાના ફૂટેજમાં નીતિન જાધવ દાગીના પર હાથ સાફ કરતો જોવા મળ્યો છે. આ ફૂટેજે પરિવારની શંકાને પુષ્ટિ આપી અને તેમણે તુરંત માટુંગા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતવાસીઓ થઈ જાવ તૈયાર, રાજ્યમાં પડશે હાડ થીજવતી ઠંડી