બરેલીમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા શહેરમાં મહિલા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓની સાથે હજારો વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મોટી ભીડને કારણે ઘણી છોકરીઓ ધક્કો મારવાને કારણે પડી ગઈ, જેને ઈજાઓ પણ થઈ. જો કે કોઈને ગંભીર ઈજા થઈ નથી. આ કાર્યક્રમ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય મહાસચિવ અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી દ્વારા આપવામાં આવેલા મૈં લડકી હું લડગે શક્તિ હૂં ના નારા હેઠળ આયોજિત કરવામાં આવ્યો હતો.
#WATCH | Stampede occurred during Congress’ ‘Ladki hoon, Lad Sakti hoon’ marathon in Bareilly, Uttar Pradesh today pic.twitter.com/nDtKd1lxf1
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 4, 2022
નાસભાગને લઈને પૂર્વ મેયર સુપ્રિયા એરોને વાહિયાત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જ્યારે વૈષ્ણોદેવીમાં નાસભાગ થઈ શકે છે તો અહીં કેમ નહીં. આ સાથે તેણે આ નાસભાગ પાછળ કોઈનું ષડયંત્ર હોવાની વાત પણ કરી હતી. કહ્યું કે જે રીતે રાજ્યમાં અમારી પાર્ટીનો સમર્થન વધી રહ્યો છે તે રીતે આ કાર્યક્રમને નિષ્ફળ બનાવવાનું ષડયંત્ર પણ કરવામાં આવી શકે છે.
આ ઘટના પર ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ મેરેથોનમાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઘણી છોકરીઓ પડી અને ઘાયલ થઈ. સદનસીબે કોઈનું મૃત્યુ થયું નથી. કોવિડ પ્રોટોકોલનો ભંગ કરવામાં આવ્યો હતો. આ પછી તેણે પૂછ્યું- શું પ્રિયંકા ગાંધીજી, જીવન સાથે આ રીતે રમવું યોગ્ય છે? કોવિડ નિષ્ણાત રાહુલ કેમ ચૂપ છે?’