Mahayuti Alliance Internal Rift News: મહારાષ્ટ્રના શાસક મહાયુતિ ગઠબંધનમાં આંતરિક ખટરાગ સામે આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સમક્ષ માંગ કરી છે કે, જે બે શિવસેના નેતાઓએ છત્રપતિ સંભાજીનગરમાં કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે (Abhijeet Dipke) અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી હતી, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
ભાજપના નેતાઓની આકરી પ્રતિક્રિયા
રાજ્યના રાજસ્વ પ્રધાન અને વરિષ્ઠ ભાજપ નેતા ચંદ્રશેખર બાવનકુલેએ જણાવ્યું કે, શાસક ગઠબંધનમાં રહીને આવું આચરણ યોગ્ય નથી અને એકનાથ શિંદેએ આવા નેતાઓ સામે કડક પગલાં લેવા જોઈએ.
અન્ય ભાજપ નેતા પ્રવીણ દરેકરે આરોપ લગાવ્યો કે સંજય શિરસાટ અને બચ્છુ કડુની આ મુલાકાતથી ગઠબંધનમાં ખોટો સંદેશ ગયો છે અને તેનાથી શિવસેના-બીજા વચ્ચેની દરાર વધી શકે છે.

શિવસેના નેતાઓની મુલાકાત અને સ્પષ્ટતા(Abhijeet Dipke)
શિરસાટ અને કડુએ તાજેતરમાં અભિજીત દીપકેના(Abhijeet Dipke) માતા-પિતા સાથે મુલાકાત કરી હતી અને અભિજીત દીપકેને(Abhijeet Dipke) સુરક્ષા આપવાની માંગ કરી હતી. આ મામલે બચ્છુ કડુએ આકરા પ્રહારો કરતા કહ્યું કે, શું તેઓ પાકિસ્તાનથી આવ્યા છે? તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈ નેતા તરીકે નહીં પરંતુ એક કાર્યકર્તા અને આંદોલનકારી તરીકે મળવા ગયા હતા.
આ પણ વાંચો:કોકરોચ જનતા પાર્ટી’ પર ઉપરાષ્ટ્રપતિની ટિપ્પણી, યુવાઓને સાચી માહિતી પહોંચાડવાની આપી સલાહ
આ પણ વાંચો:‘કોકરોચ જનતા પાર્ટી’ મુદ્દે સુપ્રીમ કોર્ટનો ઇનકાર! CBI તપાસની માંગ પર કહ્યું- “સેન્ટિમેન્ટલ ન બનો”
આ પણ વાંચો:કોકરોચ જનતા પાર્ટી’થી કેમ ચિંતિત થઈ સુરક્ષા એજન્સીઓ? તપાસમાં સામે આવ્યું ગુજરાત કનેક્શન
