Sabarkantha News: હિંમતનગર તાલુકામાં સવગઢ ગામે મોટી દુર્ઘટના સર્જાઈ છે. સવગઢ ગામમાં મકાનના ચાલુ બાંધકામ કામ દરમિયાન મકાનનો સ્લેબ ધરાશાયી થયો હતો. જેમાં બે મજૂરો દટાયા હતા. પરિણામે બંને મજૂરોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે.
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર ફાયર વિભાગ દ્વારા દટાયેલા બંને શ્રમિકોના મૃતદેહને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતક શ્રમિકોને પોસ્ટ મોર્ટમ અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હિંમતનગર ગ્રામ્ય પોલીસને ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:પાલનપુર-દાંતા હાઈવે પર અકસ્માતની ઘટના, 2 લોકોના મોત
આ પણ વાંચોઃ