વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું કે કેટલાક લોકો માનવ અધિકારના નામે દેશની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરે છે. આપણે આવા લોકો સાથે સાવચેત રહેવાની જરૂર છે. પીએમ મોદીએ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં બોલતા કહ્યું હતું. આ સાથે તેમણે માનવ અધિકાર અને મહિલાઓ માટે કરેલા કામનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, ‘મહિલાઓની સલામતી માટે 700 જિલ્લાઓમાં વન સ્ટોપ સેન્ટર બનાવવામાં આવ્યા છે. અહીં મેડિકલ. પોલીસ, માનસિક પરામર્શ અને કાનૂની મદદ આપવામાં આવે છે. આ સિવાય 650 થી વધુ ફાસ્ટ ટ્રેક કોર્ટની પણ સ્થાપના કરવામાં આવી છે. આમાં બળાત્કાર જેવા ગંભીર કેસોની સુનાવણી થઈ રહી છે.
#WATCH | …Some people see human rights violations in some incidents but not in other similar incidents. Human rights are violated when viewed via political spectacles. Selective behaviour harmful to democracy. They attempt to harm nation’s image through selective behaviour.: PM pic.twitter.com/5RsaIkMExw
— ANI (@ANI) October 12, 2021
તેમણે મુસ્લિમ મહિલાઓના અધિકારોની સુરક્ષા માટે ત્રણ તલાક વિરુદ્ધ કાયદો બનાવવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું, ‘દાયકાઓથી મુસ્લિમ મહિલાઓ ત્રિપલ તલાક વિરુદ્ધ કાયદાની માંગ કરી રહી હતી. અમે તેમને તેમના અધિકારો આપ્યા છે. આ ઉપરાંત, અમે હજ દરમિયાન મુસ્લિમ મહિલાઓને ‘મહરમ’ થી મુક્ત કરવાનું કામ પણ કર્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, “જ્યારે ગરીબ લોકોને શૌચાલય, રસોઈ ગેસ જેવી મૂળભૂત સુવિધાઓ મળે છે, ત્યારે તેમની આકાંક્ષાઓ વધે છે અને તેઓ તેમના અધિકારો વિશે માહિતી મેળવે છે.
પીએમ નરેન્દ્ર મોદીએ માનવ અધિકાર સંબંધિત પસંદગીયુક્ત અભિગમ અપનાવનારાઓ પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે કેટલાક લોકો કેટલીક ઘટનામાં માનવાધિકારના ઉલ્લંઘનની વાત કરે છે, પરંતુ તેવી જ રીતે તેઓ અન્ય કોઇ ઘટના પર મૌન રાખે છે. પીએમ મોદીએ કહ્યું કે આવા પસંદગીયુક્ત વર્તન લોકશાહી માટે હાનિકારક છે. આવા લોકો પોતાના વર્તનથી દેશની છબી ખરાબ કરવાની કોશિશ કરે છે. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા.