Not Set/ સોનિયાજીએ દિવાળી કાઢી? દેશમાં નામશેષ બનેલી કોંગ્રેસનું માળખુ વિખેરાયું

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું માળખુ વિખેરાયું છે. કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગુજરાત પ્રદેશનું માળખું વિખેર્યુ છે. ઉપપ્રમુખ, મહામંત્રી સહિતનું માળખુ વિખેર્યુ છે. પરંતુ પ્રમુખ પદે અમિત ચાવડાને યથાવત્ત રાખ્યા છે. આશરે સંગઠનના 300 હોદ્દાઓ બદલવામાં આવશે  તેવું પ્રતિત થઇ રહ્યું છે. આપને જણવી દઇએ કે, કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા આજે યોજવામાં આવેલી કોંગ્રેસ થિન્ક […]

Top Stories Gujarat India
soniya સોનિયાજીએ દિવાળી કાઢી? દેશમાં નામશેષ બનેલી કોંગ્રેસનું માળખુ વિખેરાયું

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું માળખુ વિખેરાયું છે. કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગુજરાત પ્રદેશનું માળખું વિખેર્યુ છે. ઉપપ્રમુખ, મહામંત્રી સહિતનું માળખુ વિખેર્યુ છે. પરંતુ પ્રમુખ પદે અમિત ચાવડાને યથાવત્ત રાખ્યા છે. આશરે સંગઠનના 300 હોદ્દાઓ બદલવામાં આવશે  તેવું પ્રતિત થઇ રહ્યું છે.

આપને જણવી દઇએ કે, કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા આજે યોજવામાં આવેલી કોંગ્રેસ થિન્ક ટેન્ક લિડરો સાથેની બેઠક પછી આ મહત્વનાં નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હાલ દેશમાં નામશેષ થઇ રહેલી કોંગ્રેસમાં આ નિર્ણય નવા પ્રણ ફૂંકશે તેવું રાજકીય તજજ્ઞો દ્વારા જોવામાં આવી રહ્યું છે.

દેેશભરમાં કોંગ્રેસ છેલ્લા લાંબા સમયથી નિષ્ક્રીય હાલતમાં જોવામાં આવી રહી હતી.ખાસ કરીને લોકસભા 2019માં કારમી હાર પછી કોંગ્રેસનાં તે સમયનાં અધ્યક્ષ રાહુલ ગાંધી દ્રારા હારની જવાબદારી સ્વીકારતા પોતાનાં પદ્દ પરથી રાજીનામુ ધરી દેવામાં આવ્યું હતું. અને લાંબા મનામણા બાદ પણ રાહુલે આ પદ્દ ત્યારે સ્વીકારવાની સ્પષ્ટનાં ભણી હતી. ત્યારે કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોંગ્રેસને ફરી બેઠી કરવા માટે કવાયત શરૂ કરી હોય તેવું જણાઇ રહ્યું છે. લોકો દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે સોનિયા ગાંધીએ કોંગ્રેસની દિવાળીમાં સાફ સફાઇનું કામ હાથે લીધું હોય તેમ દિવાળી કાઢી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.