Not Set/ આજે ઇન્ડિયા-શ્રીલંકા વચ્ચે રમાશે પ્રથમ ટી-20 મેચ

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી ત્રણ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચની શ્રેણીની પ્રથમ મેચ બુધવારે કટક ખાતે રમાવવાની છે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે ૭ વાગ્યે શરુ થશે. નોધનિય છે કે, આ પહેલા રમાયેલી ટેસ્ટ અને વન-ડે સિરીઝમાં ભારતીય ટીમ જીતી ચુકી છે ત્યારે આ સિરીઝ પણ પોતાના નામે કરવાના ઈરાદે ઉતરશે. કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં […]

Sports
images આજે ઇન્ડિયા-શ્રીલંકા વચ્ચે રમાશે પ્રથમ ટી-20 મેચ

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી ત્રણ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચની શ્રેણીની પ્રથમ મેચ બુધવારે કટક ખાતે રમાવવાની છે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે ૭ વાગ્યે શરુ થશે. નોધનિય છે કે, આ પહેલા રમાયેલી ટેસ્ટ અને વન-ડે સિરીઝમાં ભારતીય ટીમ જીતી ચુકી છે ત્યારે આ સિરીઝ પણ પોતાના નામે કરવાના ઈરાદે ઉતરશે.

કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતીય ટીમની કમાન રોહિત શર્મા સંભાળી રહ્યા છે. રોહિત શર્માની કેપ્ટનસી હેઠળ કેટલાક નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. જાહેર કરવામાં આવેલ ભારતીય ટીમમાં જયદેવ ઉનડકટ, બંસીલ થમ્પી, દીપક હુડ્ડા અને વોશિંગ્ટન સુંદરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ટી-૨૦ મેચોની વાત કરીએ તો અત્યાર સુધી સમાયેલી ૧૧ મેચમાં ભારત ૭ મેચ જીતી ચુક્યું છે જયારે ૪ મેચમાં હારનો સ્વાદ ચાખ્યો હતો.