નવી દિલ્હી,
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી બોર્ડર-ગવાસ્કર ટ્રોફીની શરૂઆત ૬ ડિસેમ્બરના રોજથી થઇ રહી છે. આ પહેલા બંને ટીમના ખેલાડીઓ દ્વારા શ્રેણી જીતવા માટે કમર કસવામાં આવી રહી છે, ત્યારે હવે આ ચાર ટેસ્ટની શ્રેણીને લઈ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વોએ એક મહત્વનું નિવેદન આપ્યું છે.
સ્ટીવ વોએ કહ્યું હતું કે, ” ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારત માટે ઓસ્ટ્રેલિયાની ધરતી પર પ્રથમ ટેસ્ટ સિરીઝ જીતવા માટેનો એક સારો મૌકો છે”.
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટને ESPN ક્રિકઇન્ફો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “મને લાગે છે ભારત પાસે આ શ્રેણી જીતવાની સોનેરી તક છે. તેઓ લાંબા સમયથી જ આ સિરીઝની તૈયારી કરી રહ્યા હશે”.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અંગે તેઓએ કહ્યું, “તે એક મહાન ખેલાડી છે અને સચિન તેંડુલકર અને લારાની જેમ જ તેઓને પણ મોટા મુકાબલા પસંદ છે”.