જયપુર,
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સિઝન પહેલા મંગળવારે હાથ ધરાયેલી નીલામીમાં દેશ અને દુનિયાના ઘણા ખેલાડીઓ પર બોલી લાગી હતી. આ દરમિયાન IPLની ફ્રેન્ચાઇઝી ટીમોએ સ્ટાર પ્લેયરોને પોતાની ટીમમાં લેવા માટે મોટી બોલી લગાવી હતી.
જો કે આ હરાજીમાં ભારતના એક ખેલાડી વરુણ ચક્રવતી પર લાગેલી બોલીને લઈ સૌ ચકિત થઇ ગયા હતા, કારણ કે માત્ર ૨૦ લાખ રૂપિયાની બેસ પ્રાઈઝવાળા આ ખેલાડીને ૪૨ ગણો એટલે કે ૮.૪૦ કરોડ રૂપિયા જેટલી બોલી લાગી હતી. કિંગ્સ ઈલેવન પંજાબ દ્વારા ચક્રવતીને ખરીદવામાં આવ્યો છે.
કોણ છે વરુણ ચક્રવતી ?
કિંગ્સ ઈલેવન પંજાબની ટીમમાં સમાવેશ કરાયેલા વરુણ ચક્રવતીની વાત કરવામાં આવે તો, તે ત તમિલનાડુનો સ્પિન બોલર છે. જેને ૧૩ વર્ષની ઉંમરવિકેટકીપર તરીકે સ્કૂલમાં ક્રિકેટની શરૂઆત કરી હતી.
જો કે ત્યારબાદ વરુણ એક મિસ્ટ્રી સ્પિનર તરીકે નામ કમાયા બાદ હવે IPLમાં શામેલ થયો છે. આ પહેલા તમિલનાડુ પ્રીમિયર લીગમાં વરુણે ૪.૭ની શાનદાર ઈકોનોમી સાથે ૯ વિકેટ ઝડપી હતી અને સિચમ મદુરૈ પેન્થર્સને ખિતાબ જીતાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.
આ ઉપરાંત વરુણ ચક્રવતી હાલમાં સમાપ્ત થયેલી વિજય હજારે ટ્રોફીમાં બીજો સૌથી વિકેટ લેનાર ખેલાડી હતો.