બર્મિઘમ,
બર્મિઘમના એજબેસ્ટન ગ્રાઉન્ડ ખાતે ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ટેસ્ટ મેચના પ્રથમ દિવસના અંતે ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં જણાઈ રહી છે. જો કે આ પહેલા મેચના ત્રીજા સેશનમાં યજમાન ટીમ કેપ્ટન જો રુટ અને જોની બેયર્સ્ટોની અડધી સદીના સહારે મજબૂત સ્થિતિમાં જણાઈ રહ્યું હતું.
જો કે આ ટેસ્ટ મેચની ૬૩મી ઓવરમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઈંગ્લેંડની ટીમના કેપ્ટન જો રુટને રનઆઉટ કરીને મેચમાં ટર્નિંગ પોઈન્ટ અપાવ્યો હતો.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ વન-ડે સિરીઝ દરમિયાન જો રુટના બેટ ડ્રોપ કરીને જે ઈશારો કર્યો તેનો બદલો લીધો છે. હકીકતમાં, ૧૭ જુલાઈના રોજ વન-ડે સિરીઝની અંતિમ મેચમાં જો રૂટે જયારે પોતાની સદી પૂરી કરી હતી, ત્યારે કોહલી સામે જોતા પોતાનું બેટ છોડ્યું હતું. જો કે આ ઈશારા દ્વારા તે જણાવવા માંગતા હતા કે ટેસ્ટ સિરીઝમાં પણ આ શાનદાર ફોર્મ યથાવત રહેશે.
કોહલીએ મેચના અંતિમ સેશનમાં જો રુટને પોતાના ડાયરેક્ટ થ્રો દ્વારા રન આઉટ કરીને સદી ફટકારવા પહેલા જ પેવેલિયનમાં મોકલ્યો હતો. અ સાથે જ ટીમ ઇન્ડિયાના કેપ્ટને પોતાના અંદાજમાં ખુશી મનાવી માત્ર ૧૭ દિવસમાં જ વન-ડે સિરીઝનો બદલો લીધો છે.