Sri Lanka News/ શ્રીલંકન નેવીએ દરિયામાં ગોળીબાર કર્યો, 5 ભારતીય માછીમારો ઘાયલ…એકશનમાં વિદેશ મંત્રાલય

શ્રીલંકન નેવીએ ભારત-શ્રીલંકા દરિયાઈ સરહદ પર ગોળીબાર કર્યો. આ ગોળીબારમાં પાંચ ભારતીય માછીમારો ઘાયલ થયા છે, જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

Trending India Breaking News

Sri Lanka News: શ્રીલંકન નેવીએ ભારત-શ્રીલંકા દરિયાઈ સરહદ પર ગોળીબાર કર્યો. આ ગોળીબારમાં 5 ભારતીય માછીમારો ઘાયલ થયા છે, જેમાંથી 2ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ સિવાય ત્રણ લોકોને નાની-મોટી ઈજાઓ થઈ છે. આ ઘટના મંગળવારે સવારે ડેલ્ફ્ટ આઇલેન્ડ નજીક બની હતી.

ભારતીય વિદેશ મંત્રાલયે આ મામલે સખત વાંધો વ્યક્ત કર્યો છે. આ કાર્યવાહીનો ઔપચારિક વિરોધ શ્રીલંકાના કાર્યકારી ઉચ્ચાયુક્તને સમન્સ પાઠવવામાં આવ્યો છે. આ કાર્યવાહીને અયોગ્ય અને અસ્વીકાર્ય ગણાવતા વિદેશ મંત્રાલયે કહ્યું કે કરાઈકલ બંદરેથી મંગળવારે વહેલી સવારે ડેલ્ફ્ટ ટાપુ નજીક માછીમારી કરવા ગયેલા 13 ભારતીય માછીમારોની શ્રીલંકન નૌકાદળ દ્વારા દરિયાઈ સરહદ પાર કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન શ્રીલંકન નૌકાદળ દ્વારા ફાયરિંગની ઘટનાની માહિતી મળી હતી.

જારી કરાયેલા નિવેદન મુજબ માછીમારોનું એક જૂથ પારુતિ થુરાઈ પાસે માછીમારી કરી રહ્યું હતું. આ દરમિયાન શ્રીલંકન નેવીની પેટ્રોલિંગ બોટે તેને ઘેરી લીધું હતું. તેણે માછીમારો પર શ્રીલંકાના પ્રાદેશિક જળસીમામાં ઘૂસણખોરી કરવાનો આરોપ લગાવ્યો. એક બોટ સાથે 13 માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે માછીમારોએ બોટને તમિલનાડુ તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો ત્યારે શ્રીલંકન નેવીએ ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગ વખતે શ્રીલંકન નેવી ઓફિસર પણ બોટમાં સવાર હતા. એક માછીમારને પગમાં ગોળી વાગી હતી, જ્યારે અન્ય કોઈ વસ્તુ સાથે અથડાવાથી ઘાયલ થયો હતો. પકડાયેલા માછીમારોને કંગેસંથુરાઈ પોલીસને સોંપવામાં આવ્યા હતા.

વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “માછીમારી બોટ પર સવાર 13 માછીમારોમાંથી બેને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેઓ હાલમાં જાફના ટીચિંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.” તેના સહેજ ઇજાગ્રસ્ત માછીમારોને અન્ય હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. દરમિયાન, જાફનામાં ભારતીય વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓ ઘાયલ માછીમારોને મળ્યા અને તેમને શક્ય તમામ મદદની ખાતરી આપી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શ્રીલંકાએ 34 ભારતીય માછીમારોની ધરપકડ કરી, CM સ્ટાલિને કેન્દ્ર સરકારને કરી મોટી અપીલ

આ પણ વાંચો:પાકે. લખ્ખણ ઝળકાવ્યા, પાક. મરીને ઓખાની ભારતીય માછીમારોની બોટ પર ફાયરિંગ કરી ડૂબાડી

આ પણ વાંચો:દ્વારકા નજીક ભારતીય તટરક્ષક દળે 13 માછીમારોને બચાવ્યા