Gandhinagar News: ખરીફ પેદાશોના ટેકાના ભાવને લઈને રાજ્ય સરકારની બેઠક યોજાઈ છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલની આગેવાનીમાં બેઠક શરૂ થઈ છે. અધિકારો તેમજ કૃષિ આગેવાનોની હાજરીમાં બેઠક શરૂ થઈ છે. ગુજરાત સરકારની કૃષિ ભાવ પંચની બેઠક ચાલુ છે. ટેકાના ભાવ નક્કી કરવા માટે બેઠક ચાલી રહી છે. વિવિધ જણસીઓ માટે ટેકાના ભાવ નક્કી કરવા ચર્ચા થશે. કિસાન મોરચાના પદાધિકારીઓ પણ બેઠકમાં હાજર રહેશે.
ઉલ્લેખનીય છે કે સોમવારે જ એનડીએની નવીસ રકાર કામકાજ શરૂ કરવાની સાથે જ પહેલું કામ કિસાન સમ્માન નિધિનો 17મો હપ્તો જારી કરવાનું કર્યુ હતુ. આ ઉપરાંત રાજસ્થાનમાં પણ શાસક પક્ષના નબળા દેખાવના પગલે રાજ્ય સરકારે કેન્દ્ર ઉપરાંત તેના તરફથી પણ કિસાન સમ્માન નિધિની જાહેરાત કરી છે. પણ હાલમાં તો ગુજરાતમાં આ મોરચે કોઈ સળવળાટ દેખાતો નથી. સ્થાનિક ખેડૂતોની મુખ્ય માંગ ટેકાના ભાવની છે.
આ પણ વાંચો: વલસાડમાં ગાજવીજ સાથે થઈ વર્ષા
આ પણ વાંચો: અરવલ્લીમાં 10 લાખના દારૂ સાથે 32.62 લાખનો મુદ્દામાલ કબજે
આ પણ વાંચો: ખાનગી શાળાઓમાં બાળકોની સુરક્ષા સવાલોના ઘેરામાં, ફાયર સેફટીની સુવિધાનો નામ પૂરતી
આ પણ વાંચો: ગુજરાતમાં હિટ એન્ડ રનથી 2નાં મોત