સુરત જિલ્લા ખાતે નેશનલ હાઇવે હજીરા થી ધુલિયા ને લગતા તમામ પ્રશ્નો ના નિવારણ લાવવા બાબતે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજી ઉપસ્થિતિમા બેઠક યોજાઇ હતી.આ બેઠક મા રાજ્ય સરકાર ના મંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદઓ,ધારાસભ્યઓ, કલેકટર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીએ હાલમાં પ્રજાના પ્રશ્નોના સત્વરે નિરાકણ માટે અધિકારીઓને ખાસ નિર્દેશ આપ્યા છે અને જિલ્લામાં જ પ્રશ્નોનો નિરાકરણ થઇ જાય તે માટે વ્યવસ્થા કરી છે. રાજ્યના દરેક જિલ્લામાં આ ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. સુરત જિલલ્માં નેશનલ હાઇવે હજીરાથી ધુલિયાને લગતા તમામ પ્રશ્નોના નિવારણ માટે ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.