મધ્યપ્રદેશ અને છત્તિસગઢનાં રાજ્યપાલ અને ગુજરાત ભાજપનાં દિગ્ગજ નેતા તેમજ ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને ગુજરાતનાં રાજ્યપાલ તરીકેનો વધારાનો ચાર્જ સોંપાય તેવી પૂરી શક્યતા જોવામાં આવી રહી છે. ગુજરાતનાં વર્તમાન રાજ્યપાલ ઓ.પી. કોહલીનો કાર્યકાળ 15 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે.
ત્યારે તેમની વિદાય બાદ ગુજરાતના નવા રાજ્યપાલની નિમણૂક થશે જો કે જ્યાં સુધી નવા રાજ્યપાલની શોધ ન થાય ત્યાં સુધી મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને ગુજરાતની જવાબદારી સોંપાય તો નવાઈ નહીં. અગાઉ આનંદીબહેન પટેલ ગુજરાતનાં મુખ્યમંત્રી પદે રહી ચૂક્યા છે. અને ગુજરાતનાં રાજકીય પ્રવાહથી પૂરી રીતે જાણકાર હોવાથી આ જવાબદારી ભારત સરકાર દ્રારા આનંદીબહેનને સોંપવામા આવે તેવી પૂરી શક્યતાઓ જોવાઇ રહી છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.