દિલ્લી.
શનિવારે અરવિંદ કેજરીવાલે દિલ્લીના બવાના વિધાનસભા ક્ષેત્રમાં ગયા છે. ત્યાં તેઓ સાત કોલોનીઓમાં પીવાની પાણીની પાઈપલાઈનનું ઉદ્ઘાટન કરશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કાર્યક્રમમાં કેજરીવાલના આવવ પહેલા જ મોટી માત્રામાં બીજેપી કાર્યકર્તા અને પદાધિકારીઓ પહોંચી ગયા છે.
- કેજરીવાલને દેખાડ્યા કાળા ઝંડા
આરોપ છે કે જેમ જ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કાર્યક્રમમાં પહોંચ્યા, બીજેપી કાર્યકર્તાઓ હાથમાં કાળા ઝંડાઓ લઈને પહોંચી ગયા હતા. બીજેપી કાર્યકર્તાઓ એ આરોપ લગાવ્યો છે કે અરવિંદ કેજરીવાલે બાવાના નરેલા આવનાર મેટ્રો કેન્સલ કરાવી દીધી છે. એમને આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલે મેટ્રો લાઈન મત બજેટ નથી આપ્યું, જેથી ગામડાના ક્ષેત્રોને ઘણું નુકશાન થયું છે. એટલા માટે તેઓ કેજરીવાલનો વિરોધ કરવા માંડ્યા હતા.
આ જ સમયે કેજરીવાલ સતેજ પર ભાષણ આપી રહ્યા હતા અને બીજેપી કાર્યકર્તા અને પદાધિકારી નારેબાજી કરતા રહ્યા હતા. જયારે અરવિંદ કેજરીવાલના સતેજ સામે જ કાળા ઝંડા દેખાડવાનું શરુ કર્યું ત્યારે તેમણે બીજેપી કાર્યકર્તાઓને મર્યાદામાં રહેવાની ચેતવણી આપી દીધી હતી.
તેમને વિરોધ કરનાર બીજેપી કાર્યકર્તાઓને કહ્યું હતું કે,
મર્યાદામાં રહો, નહિ તો જૂતાં પડશે ત્યારે ઓળખાણમાં નહિ આવો.”
આપને જણાવી કે અરવિંદ કેજરીવાલે શનિવારે બવાના વિધાનસભા ક્ષેત્રના 7 અનાધિકૃત કોલોનીઓમાં પાઈપલાઈનથી પાણી પહોચાડવાનું શુભારંભ કર્યું છે.