Surat News/ DEOની સૂચનાથી વિધાર્થીઓ લેશે રાહતનો શ્વાસ,શાળાના સમયમાં થશે ફેરફાર

રાજ્યમાં વધતા તાપમાન અને હીટવેવની સ્થિતિને જોતા જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાના આચાર્યોને સૂચનાઓ આપી છે. જેમાં સૂચનાઓ આપવામાં આવી છે.

Top Stories Gujarat
1 2025 03 20T142514.701 DEOની સૂચનાથી વિધાર્થીઓ લેશે રાહતનો શ્વાસ,શાળાના સમયમાં થશે ફેરફાર

Surat News: ગુજરાતમા (Gujarat) ગરમી વધવાની શક્યતાઑ વધી રહી છે. ત્યારે આગામી દિવસોમાં સુરત (Surat) સહિત કેટલાક શહેરોમાં તાપમાન 42-45 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. જેથી કલેક્ટર સાથેની બેઠક બાદ જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાના આચાર્યોને સૂચના આપી છે. જેમાં રાજ્યમાં વધતા તાપમાન અને હીટવેવની સ્થિતિને જોતા જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાના આચાર્યોને સૂચનાઓ આપી છે. જેમાં સૂચનાઓ આપવામાં આવી છે કે ગરમીના મોજાના કિસ્સામાં શાળાઓ તેમની અનુકૂળતા મુજબ શાળાના સમયમાં ફેરફાર કરી શકશે. આગામી દિવસોમાં રાજ્યમાં તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

17.14L students to appear in Gujarat Secondary and Higher Secondary  Education board exams from Mar 12

આ સિવાય સુરત સહિત કેટલાક શહેરોમાં તાપમાન વધવાની આશંકા છે. આવી સ્થિતિમાં, શાળાઓને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સમયપત્રકમાં ફેરફાર કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. 15મી માર્ચના રોજ કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા હટ એક્શન ટાસ્ક ફોર્સની બેઠક મળી હતી. આ બેઠકમાં હેવ વેવની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં શાળાના બાળકોને ગરમીથી બચાવવા અંગે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવાયો હતો.

Gujarat issues new rules for Class 11 students seeking admission in Science  streams | Education News - The Indian Express

એટલુજ નહીં ગરમીથી બચવા શું કરી શકાય તેનું માર્ગદર્શન આપવા માટે પણ શાળાઓને સૂચના આપવામાં આવી છે. આ સિવાય શાળાના આચાર્ય વહેલી સવારે શાળા શરૂ કરી શકે છે અથવા બપોરની પાળીનો સમય પણ બદલી શકે છે. આ અંગેનો નિર્ણય શાળાના આચાર્યો પર છોડવામાં આવ્યો છે.

Nearly 437,000 girl students enroll for 2 financial aid schemes in Gujarat  | India News - Business Standard

આપને જણાવી દઈએ ઉનાળાની શરૂઆત સાથે જ સુરત શહેરમાં ઝાડા-ઉલ્ટી અને તાવના કેસોમાં પણ વધારો થયો છે. ગયા મહિનાની સરખામણીમાં આ મહિને ઝાડા-ઉલ્ટી અને તાવના કેસમાં પણ વધારો થયો છે. ખાસ કરીને નાના બાળકોને ઝાડા-ઊલટીની સમસ્યા થઈ રહી છે. ત્યારે જિલ્લા કલેક્ટરને અગાઉથી જ કહેવામાં આવ્યું હતું કે તેઓ બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોતાની રીતે શૌચાલયની હાલત બદલી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના ઉધનામાં ‘રાહુલ એપાર્ટમેન્ટ’ નામની ગેંગ પર કરાઈ કાર્યવાહી

આ પણ વાંચો:સુરતમાં 12 વર્ષની પુત્રીએ કર્યો આપઘાત! ‘મમ્મી, મારાથી ફોન પાણીમાં પડી ગયો’

આ પણ વાંચો:સુરતમાં ઝૂલામાં ગળેફાંસો આવી જતા 1 વર્ષની બાળકીનું મોત