દેશની હાઈપ્રોફાઈલ સુનંદા પુષ્કર કેસની સુનાવણી દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાલી રહી છે. આજે સુનાવણી દરમિયાન સુનંદાના ભાઈ આશિષ દાસે કોર્ટમાં નિવેદન આપ્યું હતું કે, તે (સુનંદા) લગ્નજીવનથી ખુશ હતી. પરંતુ તે તેના અંતિમ દિવસોમાં ખૂબ જ અસ્વસ્થ હતી, પરંતુ તે ક્યારેય આત્મહત્યા કરવાનો વિચાર કરી શકે નહીં.
આ કેસમાં દિલ્હી પોલીસે શશી થરૂર વિરુદ્ધ કલમ 498 એ અને 306 હેઠળ આરોપો મુકવા કોર્ટને વિનંતી કરી છે. બીજી તરફ, શશી થરૂરના વકીલે કહ્યું છે કે તેઓ આગામી તારીખે દલીલ કરશે, તેમજ દરેક મુદ્દે પ્રતિક્રિયા આપશે. તેમણે કહ્યું કે ફરિયાદીએ આજે કોર્ટમાં જે દલીલો આપી છે તે એસઆઈટી દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવા વિરુદ્ધ છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના નેતા શશી થરૂર સુનંદા પુષ્કરના મોતનો આરોપી છે. વ્યવસાયમાં એક અલગ ઓળખ બનાવનારી સુનંદા પુષ્કરનું નામ, જ્યારે તેણીએ 2010 માં કોંગ્રેસના નેતા શશી થરૂર સાથે લગ્ન કર્યા ત્યારથી જ ચર્ચામાં આવ્યું હતું.
લગ્નના થોડા દિવસો પછી, 17 જાન્યુઆરી, 2014 ના રોજ, સુનંદાની લાશ દિલ્હીની લીલા પેલેસ હોટલમાંથી મળી હતી. સુનંદાના મોતની જાણકારી શશી થરૂરે પોલીસને આપી હતી. શરુરે કહ્યું હતું કે સુનંદા સૂઈ રહી હતી. તે લાંબા સમય સુધી જાગી ન હતી. ત્યારબાદ તેણે પોલીસને ફોન કર્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.