સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યા કેસનાં ચુકાદા સામે કરવામાં આવેલી તમામ 18 પુનવિચારણા કે સમીક્ષા અરજીઓને ફગાવી દીધી છે. આપને જણાવી દઇએ કે, સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ ગઇકાલે આ મામલો આજે બપોરે 1.40pm વાગ્યે કુલ 18 સમીક્ષા અરજીઓ માટે ચેમ્બરની અંદર જ સુનાવણી કાર્યવાહી કરશે તેવી જાહેરાત કરી હતી. ત્યાર બાદ આજે SCની પાંચ જજોની બેંચ દ્રારા ચેમ્બર સુનાવણીમાં આ આદેશ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો : અયોધ્યા કેસ/ કાલે બંઘબારણે 18 સમીક્ષા અરજી પર SCમાંં થશે સુનાવણી
આપને જણાવી દઇએ કે, અયોધ્યા કેસમાં SCનાં 9′ નવેમ્બરનાં હિન્દુ પક્ષોને વિવાદીત જગ્યા અને 5 એકર જમીન મુસ્લિમ પક્ષને આપવાનાં હુકમ કે નિર્દેશનાં ચુકાદા વિરુદ્ધ 18 સમીક્ષા અરજી કરવામાં આવી છે. સમીક્ષા અરજી પર સુનાવણી કરી રહેલી બેંચમાં સીજેઆઈ એસ.એ. બોબડે, જે ડી વાય ચંદ્રચુડ, જે અશોક ભૂષણ, જે અબ્દુલ નઝીર અને જે સંજીવ ખન્ના હાજર હતા, જે સંજીવ ખન્ના પૂર્વ સીજેઆઈ રંજન ગોગોઇની જગ્યાએ બેંચમાં દાખલ થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.