સુરત,
સુરતના ભેસ્તાન ખાતે એક વિદ્યાર્થીનીને માર મારવામાં આવ્યો હતો. જેથી પરિવારજનોમાં રોષની લાગણી ફેલાઇ જવા પામી હતી. મળતી માહિતી અનુસાર આ વિદ્યાર્થીની બુડિયા રોડ પર આવેલી સનફ્લાવર સ્કૂલમાં અભ્યાસ કરતી હતી.
જો કે આ વિદ્યાર્થીની યુપીની રહેવાસી હતી. સનફ્લાવર સ્કૂલના સત્તાધીશો દ્વારા એલ સી માંગવામાં આવ્યું હતું. આ દરમિયાન તેના પરિવારજનોએ સ્કૂલના સત્તાધિશોને કહ્યું હતું કે અમે વતન જઈને એલસી લઈ આવું શું.
આપને જણાવી દઇએ કે રાઇટ ટુ એજ્યુકેશનના નિયમ મુજબ એડમીશન માટે એલ.સી. ફરજિયાત નથી. જોકે, છતાં સ્કૂલે લિવિંગ સર્ટી માંગ્યું અને એલસી જમા નહીં કરાવતા વિદ્યાર્થીનીને માર મારવામાં આવ્યો. તેમજ સ્કૂલમાંથી બહાર પર કાઢી મૂકવામાં આવી હતી.