સુરત,
સુરતના ઉગતના SMC આવાસમાં ચોંકાવનારી ઘટના બની. ઢાંકણ વિનાની પાણીની ખુલ્લી ટાંકીમાં પડી જતાં બાળકનું મોત નીપજ્યુ. ત્યારે આ ઘટનાથી ગરીબ પરિવાર પર આભ તૂટી પડ્યો.
બાળક ખુલી ટાંકીમાં ક્યારે પડ્યો એ કોઈને અંદાજો નથી. એક સ્થાનિક પાણીની ટાંકી તરફ ધ્યાન જતા જોવા જતા બાળક અંદર ડૂબી ગયેલું દેખાયું. સમગ્ર મામલે રાંદેર પોલીસે તપાસ હાથ ધરી.
શિવગંગા નગર આવાસમાં આવેલી 9 બિલ્ડિંગમાં પાણીની ટાંકીના ઘાકણ નથી. ત્યારે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યુ. આ મામલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.