8 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી ગોવા વિધાનસભા ચૂંટણી હાજર માટે ભાજપનો મેનિફેસ્ટો જાહેર કરશે. ભારત રત્ન લતા મંગેશકરના નિધનની માહિતી બાદ પાર્ટીએ રવિવારે મેનિફેસ્ટો બહાર પાડવાનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો હતો. ગોવા બીજેપીએ જણાવ્યું કે, મંગળવારે ગડકરી સવારે 11 વાગે ડાબોલિમ એરપોર્ટ પહોંચશે, ત્યારબાદ તેઓ ત્યાંથી પણજી જવા રવાના થશે. ભાજપે રાજધાની પણજીમાં સંકલ્પ પત્રના વિમોચનનો સમય 12.30 વાગ્યાનો રાખ્યો છે. જ્યા CM સાવંત અને દેવેન્દ્ર ફડણવીસ સહિત નેતાઓ હાજરી આપવાના છે.ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યા બાદ નીતિન ગડકરી વિવિધ ચૂંટણી પ્રચાર કાર્યક્રમોમાં સામેલ થશે.
આ પણ વાંચો: ઓવૈસીએ અમિત શાહની વિનંતીને ઠુકરાવી, મામલો CAA સાથે જોડ્યો
કોંગ્રેસનો ગોવા માટે મેનિફેસ્ટો
કોંગ્રેસે રવિવારે આગામી ગોવા વિધાનસભા ચૂંટણી માટે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. એટલું જ નહીં, આ દરમિયાન પાર્ટીના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે વચન આપ્યું હતું કે, જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો દરિયાકાંઠાના રાજ્યમાં ખાણકામની પ્રવૃત્તિઓ ફરી શરૂ થશે. ચિદમ્બરમે કહ્યું, રાજ્ય માટે સમસ્યા સંસાધન શોધવાની નથી, પરંતુ સંસાધન ફાળવણીની છે.
આ પણ વાંચો:ચૂંટણીમાં અખિલેશ યાદવની જીત થશે?, મમતા બેનર્જી લખનૌમાં કરશે પ્રચાર
14 ફેબ્રુઆરીએ ગોવામાં ચૂંટણી
40 બેઠકોવાળી ગોવા વિધાનસભાનો કાર્યકાળ 15 માર્ચે સમાપ્ત થાય છે. રાજ્યમાં 14 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાવા જઈ રહી છે. ગોવામાં છેલ્લી વિધાનસભા ચૂંટણી ફેબ્રુઆરી 2017માં યોજાઈ હતી. કોંગ્રેસ 15 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી, પરંતુ તે સરકાર બનાવી શકી નહીં. ભાજપે 13 બેઠકો જીતી અને MGP, GFP અને બે અપક્ષ ધારાસભ્યોની મદદથી સરકાર બનાવવામાં સફળ રહી. સ્વર્ગસ્થ મનોહર પર્રિકર ગોવાના મુખ્યપ્રધાન બન્યા, પરંતુ 17 માર્ચ 2019ના રોજ મનોહર પર્રિકરના અવસાન પછી, ડૉ. પ્રમોદ સાવંતને રાજ્યના મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: જાણો, ક્યાં દારૂની કેટલીક દેશી અને વિદેશી બ્રાન્ડ પર મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ!