અંદામા આવેલી SVP હોપીતાલ અને વિવીઅદ એક બીજાના પર્યાય બની ચુક્યા હોય તેવું લાગે છે. હર હમેશા કોઈ ને કોઈ વિવાદ svp સાથે સંકળાયેલ હોય છે. પછી તે ડોક્ટરની હડતાલ હોય કે પછી દર્દીઓની ભાગી જવી કે પછી પગાર કાપ. કોરોના ની મહામારી વચ્ચે SVP હોસ્પિટલ દ્વારા કોરોના વોરીયાર્સના પગારમાં કાપ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ડોક્ટર અને નર્સ પોતાના જીવની પરવાહ કર્યા વગર સતત ખડેપગે દર્દીઓની સેવા કરી રહ્યા છે. આ કપરા કાળમાં કોરોના યોદ્ધાઓની કામગીરી બિરદાવી તેમની સેવાનું યોગ્ય મહેનતાણું આપવાના બદલે તેમના પગારમાં કાપ મૂકવાની અને નોકરીમાંથી ધકેલી દેવાની ધમકી આપવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. અને કામ ન કરવું હોય તો નોકરી છોડી દેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર એસવીપી તંત્ર દ્વારા 200 કર્મચારીઓના પગારમાં કાપ મુકી રહ્યા છે. સ્ટાફની સેલેરીમાં 10 હજારથી 12 હજારનો કાપ મૂકવામાં આવ્યો છે. પહેલો ઓર્ડર રૂ.35000 અને બીજો ઓર્ડર રૂ.22000નો છે. કર્મચારીને કામ ન કરવું હોય તો જોબ છોડી દેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. તો દૈનિક રૂ.250 વધારાની વાત તંત્રએ નકારી દીધી છે. પગાર કાપને લઈ કર્મચારીઓમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.