#WATCH | Delhi: AAP Rajya Sabha MP Swati Maliwal leaves from AIIMS. pic.twitter.com/77LtAueoOr
— ANI (@ANI) May 16, 2024
New Delhi News: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સિવિલ લાઈન્સ આવાસ પર AAPના રાજ્યસભા સભ્ય સ્વાતિ માલિવાલ સાથે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સચિવ વિભવ કુમાર દ્વારા મારપીટ અને દુર્વ્યવહાર પર સ્વાતિ માલિવાલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બાદમાં એઈમ્સમાં તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. જેને લઈને રાજકારણ ગરમાયું છે. ભાજપે આપના સીએમનું રાજીનામું માંગ્યું છે.
સૂત્રો મુજબ, ઘટનાના ત્રણ દિવસ પછી ગુરુવારે સ્વાતિએ પોલીસ અધિકારીઓને તેના સત્તાવાર નિવાસસ્થાને બોલાવ્યા અને તેનું નિવેદન નોંધ્યું હતું. લગભગ સાડા ચાર કલાક સુધી પોલીસ અધિકારીઓને પૂછપરછ કરી હતી. બાદમાં પોલીસે ફરિયાદ નોંધી હતી. ફરિયાદ બાદ સ્વાતિ માલિવાલને ગઈકાલ રાત્રે એઈમ્સ દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. AAP સાંસદ ત્યાં મેડિકલ ચેકઅપ માટે પહોંચ્યા હતા. સવારે લગભગ 3:40 વાગ્યે, તે એઈમ્સ હોસ્પિટલમાંથી બહાર આવતા જોવા મળ્યા હતા.
આરોપીઓને પકડવા માટે સ્પેશિયલ સેલ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો તૈનાત કરવામાં આવી છે. આરોપીઓના લોકેશનની તપાસ કરવામાં આવી રહી છે અને દિલ્હી પોલીસની ઘણી ટીમો તેના પર કામ કરી રહી છે.
દિલ્હી ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ આ મામલે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના મૌન પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે આખરે સ્વાતિ માલિવાલે પોતાનું મૌન તોડ્યું છે અને પોતાની ફરિયાદમાં આ અંગે પોલીસને જાણ કરી છે. પોલીસે બિભવ કુમાર વિરુદ્ધ આઈપીસીની કલમો હેઠળ એફઆઈઆર પણ નોંધી છે. માલિવાલે કહ્યું કે, ‘હું અરવિંદ કેજરીવાલને માત્ર એક પ્રશ્ન પૂછવા માંગુ છું. જ્યારે સ્વાતિ માલીવાલ સાથે તમારા ઘરે આવી ઘટના બની અને તમે તે સમયે ઘરમાં હાજર હતા, ત્યારે તમે મહિલા પર અત્યાચાર કેમ થવા દીધો? તમે તેને રોકવાનો પ્રયાસ કેમ ન કર્યો?’
ભાજપે રાજીનામું માંગ્યું
ભાજપ નેતા શાઝિયા ઇલ્મીએ કહ્યું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમના રાજકીય હિત માટે તેમનો બચાવ કરી રહ્યાં છે. સ્વાતિ માલીવાલ સાથેની ગેરવર્તણૂકને શા માટે નજરઅંદાજ કરવામાં આવી રહી છે. વિભવ કુમારનું કામ અરવિંદ કેજરીવાલનું પાલન કરવાનું છે. મેં પણ તે વ્યક્તિની ગેરવર્તણૂક સહન કરી છે. પ્રશાંત કુમાર અને યોગેન્દ્ર યાદવ પણ હતા જેમને બાઉન્સરોએ ફેંકી દીધા હતા. પરંતુ આ વખતે તેણે હદ વટાવી દીધી. શું તમારા પી.એ. માટે સ્ત્રીને મારવું યોગ્ય છે?
શાઝિયા ઈલ્મીએ વધુમાં કહ્યું કે કેજરીવાલે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. તે ખુરશી પર રહેવાને યોગ્ય નથી. મહિલા સહકર્મીને માર માર્યા બાદ તેમની પાસે મુખ્યમંત્રી રહેવાનું કોઈ કારણ નથી. તેમણે માફી માંગવી જોઈએ અને રાજીનામું આપવું જોઈએ અને તાત્કાલિક તેમની વિરૂદ્ધ ફોજદારી પગલાં લેવા જોઈએ. ઇલ્મીએ આરોપ લગાવ્યો છે કે આ બધું અરવિંદ કેજરીવાલના આદેશ પર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આજે પંજાબની મુલાકાત લેશે, સુવર્ણ મંદિરમાં કરશે દર્શન
આ પણ વાંચો: ભારતના સ્ટાર ફૂટબોલર કેપ્ટન સુનીલ છેત્રીએ કરી નિવૃત્તિની જાહેરાત, આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કરશે અલવિદા
આ પણ વાંચો:આજે યુપીમાં PM મોદીની ચાર રેલી, અખિલેશ-કેજરીવાલ લખનઉમાં કરશે પ્રેસ કોન્ફરન્સ