નોટિસ/ અમદાવાદમાં રથયાત્રાની તાડમાર તૈયારીઓ શરૂ,જર્જરિત મકાનોને રીપેર કરાવવા નોટિસ પાઠવી

આ વર્ષે 1 જુલાઇએ રથયાત્રા નીકળવાની છે તેની તાડમાર તૈયારીઓ ચાલી રહી છે, પ્રશાસન આ તૈયારી માટે કામે લાગી ગયું છે, ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે

Top Stories Gujarat
7 9 અમદાવાદમાં રથયાત્રાની તાડમાર તૈયારીઓ શરૂ,જર્જરિત મકાનોને રીપેર કરાવવા નોટિસ પાઠવી

આ વર્ષે 1 જુલાઇએ રથયાત્રા નીકળવાની છે તેની તાડમાર તૈયારીઓ ચાલી રહી છે, પ્રશાસન આ તૈયારી માટે કામે લાગી ગયું છે, ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે,શ્રદ્વાળુઓ પણ ભગવાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.ગત કોરોનાની મહામારીમાં એક વર્ષ રથયાત્રા નીકળી ન હતી,પણ આ વર્ષે કોરોના કંટ્રોલમાં છે જેથી અમદાવાદમાં રથયાત્રા  ધામધૂમથી નીકળે તેની તૈયારી ચાલી રહી છે. રથયાત્રા પહેલાની તૈયારી ચાલુ કરી દેવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત અને સુરક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે. આ વખતે 1 જુલાઇના રોજ અષાઢી બીજ આવી રહે છે તે દિવસે રથયાત્રા નીકળશે.

મંદિર સંચાલકો વિધિ અને ભગવાનના શણગારની તૈયારી કરી રહ્યા છે. ત્યારે રથયાત્રાના રૂટ પરની સલામતીના ભાગ રૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જર્જરિત મકાન અથવા છત હોય તો તેને ઉતારી લેવા અથવા સમારકામ કરાવી લેવા નોટિસ આપી છે. મધ્યઝોનમાં 283 જર્જરિત મકાનોને નોટિસ આપવામાં આવી છે તો ઉત્તર ઝોનમાં 142 જર્જરિત મકાનોને નોટિસ આપવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે રથયાત્રાના રૂટમાં જે મકાનો જર્જરિત છે તેને રીપેર કરાવવા નોટિસ આપી છે. એસ્ટેટ વિભાગ દ્વારા રૂટમાં આવતા મકાનોની ગેલેરી અથવા ઝરૂખા રીપેર કરવી લેવાની નોટિસ લગાવવામાં આવી છે. સાથે રથયાત્રાના દિવસે ગેલેરીમાં પ્રવેશ ન આપવા સૂચના આપી છે.

ભગવાન જગન્નાથ નગર યાત્રાએ નીકળવાના છે અને સૌ કોઈ રથયાત્રાની તૈયારીઓ કરી રહ્યા છે. રથયાત્રામાં કોઈ અનચ્છિય ઘટના ન બને તે માટે તંત્ર પહેલેથી સજ્જ બન્યુ છે. દર વર્ષે રથયાત્રા પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન ભયજનક મકાનોને નોટિસ આપે છે પરંતુ ત્યાર બાદ પણ કોઈ ભયજનક મકાનો અંગે પગલા લેવામાં આવતા નથી. ચાલુ વર્ષે પણ નોટિસ આપી છે.