નવી દિલ્હી,
દુનિયાની પોપ્યુલર મેસેજિંગ એપ વોટ્સએપ દ્વારા ભારતમાં યુઝર્સ માટે મેસેજ ફોરવર્ડની લિમિટ નક્કી કરતુ એક ફિચર્સ લોન્ચ કયું હતું. જેના ભાગરૂપે યુઝર માત્ર ૫ લોકોને અથવા તો ૫ ગ્રુપમાં જ કોઈ મેસેજ ફોરવર્ડ કરી શકતા હતા.
જો કે હવે આ ફિચર્સ દુનિયાભરમાં લાગુ કરવામાં આવ્યું છે.
આ સાથે જ હવે દુનિયાભરના વોટ્સએપનો ઉપયોગ કરનાર કોઈ પણ યુઝર એક મેસેજ માત્ર પાંચ લોકોને જ મેસેજ ફોરવર્ડ કરી શકશે.
શા માટે લોન્ચ કરાયું આ ફિચર્સ ?
મહત્વનું છે કે, વોટ્સએપ દ્વારા ફોરવર્ડ કરવામાં આવેલા ફેક ન્યુઝ અને ભડકાઉ કન્ટેન્ટ અનેક જગ્યાએ હિંસક ઘટનાઓ બની હતી, જેમાં લોકોની હત્યા કરાઈ હતી.
જો કે ત્યારબાદ આ પ્રકારની ઘટનાઓ પર કાબુ મેળવવા માટે આ પગલું ઉઠાવવામાં આવ્યું છે.